દિલ્હી વિધાનસભાના પરિણામ આવતા પહેલા આમ આદમી પાર્ટીનાં મુખ્ય કાર્યાલય પર નવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર પર લેખેલા લખાણને લઈને શહેરમાં ચર્ચા જગાવી છે. આપના આ પોસ્ટરની અસર ભાજપ પર પણ પડી છે. ભાજપના મુખ્ય કાર્યાલય પર પણ તેની અસર જોવા મળી છે.
દિલ્હી વિધાનસભામાં પરિણામ પહેલા આપે લગાવ્યા પોસ્ટર
આપના કાર્યાલય બહાર લાગ્યા આ પોસ્ટર
આપે ફરી સત્તા પર આવવાની આશા વ્યક્ત કરી
આપે લગાવ્યા આવા પોસ્ટર
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતા પહેલા આમ આદમી પાર્ટીનાં મુખ્યકાર્યાલયની બહાર નવા પોસ્ટર લાગ્યાં છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, ‘અચ્છે હોંગે 5 વર્ષ, દિલ્હીમાં તો કેજરીવાલ’આ પોસ્ટરથી એ સ્પષ્ટ થાય છે કે આપ પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમની જીત થશે. ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલ મુજબ આપ 56 સીટો પર જીત મેળવી શકે છે. ત્યારે ભાજપના પક્ષમાં 14 સીટો આવવાની શક્યતા સવાઈ રહી છે. આ ઉપરાંત કોંગ્રેસનાં ભાગે એક પણ સીટ આવવી મુશ્કેલ છે.
વર્ષ 2015ની ચૂંટણીમાં પરિણામ કંઈક આવું હતું
વર્ષ 2015માં આપે બહુમતી મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતાં. એ બાદ ફરી એક વાર કેજરીવાલ સત્તા મેળવા હરીફાઈમાં લાગેલા છે. આપે અરવિંદ કેજરીવાલા વડપણ હેઠળ વર્ષ 2015ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 70થી 67 સીટો પર જીત મેળવી હતી. તેમજ બચેલી 3 સીટો ભાજપના પક્ષમાં ગઈ હતી. ત્યારે કોંગ્રેસના પક્ષમાં એક પણ સીટ મેળવી નહોતી. દિલ્હીમાં વર્ષ 2015મા એક પણ સીટ ન મેળવનાર વર્ષ 1998થી 2013 સુધી કોંગ્રેસ સતત 15 વર્ષ દિલ્હી પર રાજ કરી ચૂકી છે.
શું ભાજપે હાર સ્વીકારી લીધી
આપ કાર્યાલય બહાર લાગેલા આ પોસ્ટરને પગલે ભાજપ કાર્યાલય પર પણ પોસ્ટર લાગ્યાં હતાં. જેમાં 45થી 47 સીટોનો દાવો કરતી ભાજપે જાણે હાર સ્વીકારી લીધી હોય તેવું જણાતું હતું.