આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. વીજળી અને પાણી ફ્રી કરવાનો દાવો કરીને જ્યાં પહેલા આમ આદમી પાર્ટી (AAP)એ ચૂંટણી એકતરફી કરવાની કોશિશ કરી હતી. પરંતુ ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે, ત્યારે હવે ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવ્યો છે. દિલ્હીની જનતામાં પણ આપ અને ભાજપની જીત કે હારને લઇને અટકળો લગાવવામાં લાગ્યા છે.
અહીં આપણે એ 10 કારણોની વાત કરીશું જેના આધારે ભાજપની હાર કે જીત નક્કી કરશે
1 જબરદસ્ત ધ્રુવીકરણ:
બીજેપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધ્રુવીકરણની આક્રમક પિચ તૈયાર કરી. શાહીન બાગનું પ્રદર્શન, પીએમ નરેન્દ્ર મોદીથી લઇને ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય નાનાથી લઇને મોટા તમામ નેતાઓ તમામ રેલીઓ અને સભાઓમાં શાહીન બાગનો જ મુદ્દો ઉછાળતા રહ્યા. સભાઓમાં જનતાની વચ્ચે સવાલ ઉછાળતા રહ્યા, તમે શાહીન બાગની સાથે છો કે વિરુદ્ધ? શરજીલ ઇમામનું આસામ વાળુ નિવેદન, જેએનયૂ, જામિયા હિંસાને પણ બીજેપીનો મુદ્દો બનાવીને બહુમતી મતદારોને સાધવાની કોશિશ કરી.
2 ધુઆધાર કેમ્પેનિંગ:
કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી માટે બીજેપીએ તમામ તાકાત લગાવી દીધી, બીજેપીએ ચાલીઓમાં મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, સાંસદ- ધારાસભ્યોની ફૌઝ લગાવી દીધી. એવો કોઇ મોહલ્લો નથી કે જ્યાં, મોટા નેતાઓએ મહોલ્લા સભાઓ ન કરી હોય. તેનાથી બીજેપીએ પોતાના પક્ષમાં માહોલ બનાવવાની પ્રયાસ કર્યો.
3 વેપારીઓનો ઝુકાવ :
દિલ્હીના વેપારીઓમાં સીલિંગનો ભય હંમેશા સતાવતો રહ્યો છે. કદાચ આ જ કારણ છે કે મતદાનના એક દિવસ પહેલા શુક્રવારે દિલ્હીના વેપારીઓના સૌથી મોટા સંગઠન કેટે બીજેપીને સમર્થન આપવાનું એલાન કર્યું. આ સંગઠનથી દિલ્હીમાં 15 લાખ વેપારીઓ જોડાયેલા છે. જેમનો દાવો છે કે, તેઓ 30 લાખ લોકોને રોજગાર આપે છે. એવામાં બીજેપીની સાથે વેપારી સમુદાય આવ્યો તો પાર્ટી ફરી સારું કરી શકે છે.
4 સત્તા વિરોધી લહેર :
દિલ્હીમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણીને લઇને કામ થયું છે પરંતુ જો વાત કરવામાં આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તો તેમા અપેક્ષિત કામ નથી થયું. એવું દિલ્હીવાસિઓ માની રહ્યા છે. 2015માં આમ આદમી પાર્ટીએ પ્રચંડ લહેર સાથે ચૂંટણીમાં જીત મેળવી હતી. જોકે, આ ધારાસભ્યોની બાદમાં જનતા સાથે દૂરી વધવાની ફરિયાદો મળી રહી હતી. અને એટલે જ કેજરીવાલે ઘણા ધારાસભ્યોની ટિકિટ પણ કાપવી પડી. આમ કેજરીવાલને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી શકે છે.
5 ભાજપની ભેટ:
બીજેપીએ ચૂંટણી ઘોષણાપત્રમાં દિલ્હીના લોકોના મનમાંથી ડર નીકાળવાની કોશિશ કરી છે કે, તેમની સરકાર બનવા પર વીજળી, ફ્રી પાણીની યોજના બંધ કરી દેવાશે. ભાજપે આ યોજનાઓને ચાલુ રાખવાની વાત કહી છે. સાથે જ બીજેપીએ દિલ્હીની 1700થી વધારે ગેરકાનૂની કોલોનીઓમાં રજિસ્ટ્રીની શરૂઆત કરી ત્યાં લોકોમાં બેઠેલા ડરને દૂર કરી દીધો. બીજેપીએ બે રુપિયા કિલો લોટ, ગરીબ બાળકોને ઇલેક્ટ્રિક સ્કૂટી, 376 ઝૂંપડપટ્ટીઓમાં રહેતા 2 લાખથી વધારે પરિવારોને બે-બે રુમના મકાનનું વચન કરવાની કોશિશ કરી છે.
દિલ્હીની ચૂંટણીમાં ભાજપ કેમ હારશે?
6 સાઇલેન્ટ વોટર બનેલા ગરીબ :
મુખ્યમંત્રી કેજરીવાલે જે પ્રકારે 200 યુનિટ વીજળી અને મહીનામાં 20,000 લીટર પાણી ફ્રી કરી દીધી, તેના કારણે સામાન્ય જનતા અને ગરીબ પરિવારો પરનો ભાર ઓછો થઇ ગયો છે. લાભ મેળવી રહેલો ગરીબ વર્ગ ચૂંટણીમાં સાઇલેન્ટ બનતો નજરે પડી રહ્યો છે.
વીજળી કંપનીઓના આંકડાઓની વાત કરીએ તો, એક ઓગસ્ટે યોજનાની જાહેરાત થયા બાદ દિલ્હીમાં કુલ 52 લાખ 27 હજાર 857 ઘરેલૂ વીજળી કનેક્શનમાંથી 14,64,270 પરિવારોનું વીજળીનું બિલ શૂન્ય આવ્યું. જો આ લાભ મેળવી રહેલા લોકો ઝાડુનું બટન દબાવે છે તો આમ આદમી પાર્ટીની વાપસી સરળ બની જશે.
7 મુસ્લિમોનો ઝુકાવ:
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, CAA આવ્યા બાદથી મુસ્લિમો વર્ગના મનમાં ડર છે. મુસ્લિમો એ પાર્ટીને વોટ આપવા માંગે છે જે બીજેપીને હરાવવામાં સક્ષમ હોય. એવામાં મુસ્લિમોનો મોટાભાગનો વોટ આમ આદમી પાર્ટીને જાય તેમ માનવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં સીલમપુર, ઓખલા બેઠકો મુસ્લિમ નિર્ણાયક સ્થિતિમાં છે.
8 મહિલા વોટ બેન્ક :
આમ આદમી પાર્ટીએ જેટલુ મહિલાઓ પર ફોકસ કર્યું છે એટલું બીજેપીએ નથી કર્યું. કેજરીવાલ સરકારે બસોમાં મહિલાઓને ફ્રી મુસાફરીની ભેટ આપી. એક આંકડા મુજબ દિલ્હીની બસોમાં રોજ લગભગ 13થી 14 લાખ મહિલાઓ મુસાફરી કરે છે. એવામાં આ મહિલાઓ જો ઝાડુનું બટન દબાવે છે તો બીજેપી માટે મુશ્કેલી ઉભી થઇ જશે.
9 સ્કૂલોની ફી ન વધવા દેવી:
દિલ્હીમાં સ્કૂલોની સ્થિતિ સુધારવાના દાવાની સાથે સૌથી વધારે તો લાભ પ્રાઇવેટ સ્કુલોમાં ફી પર અંકુશ લગાવવાથી મધ્યમ વર્ગના લોકોને મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના સૂત્રો મુજબ, દિલ્હીમાં મોટાભાગની સ્કૂલ કોંગ્રેસ અને ભાજપના નેતાઓની છે. એવામાં કેજરીવાલે ફી પર અંકુશ લગાવી દીધો છે. તેનો લાભ મધ્યમ વર્ગના પરિવારોને થયો છે. આ વર્ગ મતદાનમાં મોટી ભૂમિકા નિભાવે છે.
10 બીજેપીની સેના સામે કેજરીવાલ:
રાજકીય વિશ્લેષકો અનુસાર, બીજેપી (BJP)નો હદથી વધારે આક્રમક ચૂંટણી પ્રચાર અભિયાન ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકશાન પણ કરી શકે છે. કેજરીવાલ ખુદ બીજેપીની ભારે ભરખમ સેનાનો વારંવાર હવાલો આપી ખુદને એકલા બતાવે છે. એવામાં જનતાની જો કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ ઉમડી પડી તો પછી બીજેપી માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.