દિલ્હીના ચૂંટણી પ્રચારમાં મુખ્યમંત્રી રૂપાણીએ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. CM રૂપાણીએ અરવિંદ કેજરીવાલને મુસ્લિમ પ્રેમી ગણાવ્યા અને કહ્યુ કે, કેજરીવાલને શાહીનબાગવાળા પસંદ છે. કેજરીવાલ શાહીનબાગમાં બિરયાની ખવડાવે છે. કેજરીવાલને આપણા લોકોની નથી પડી.
કેજરીવાલને શાહીનબાગવાળા પસંદ છે: CM રૂપાણી
કેજરીવાલ શાહીનબાગમાં બિરયાની ખવડાવે છે: CM રૂપાણી
કેજરીવાલને આપણા લોકોની પડી નથી: CM રૂપાણી
દિલ્હીના મુખ્યમંત્રી પર પ્રહાર કરતા રૂપાણીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ટુકડે-ટુકડે ગેંગની સાથે ઉભા છે. શાહીનબાગમાં ગોળી ચલાવનારા લોકો સાથે આમ આદમી પાર્ટીનું કનેક્શન છે. દિલ્હીના લોકો બધુ સમજી ચૂક્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઇ ચૂક્યું છે. કોંગ્રેસ ના બરાબર છે અને અરવિંદ કજરીવારના ભૂત નાટકને દિલ્હીના લોકો સમજી ચૂક્યા છે અને દિલ્હીમાં નક્કી 11 ફેબ્રુઆરીએ ખિલશે. ( દિલ્હી વિધાનસભા ચૂંટણીનું 8-ફેબ્રુઆરીએ મતદાન, 11 ફેબ્રુઆરીએ મતગણતરી) જણાવી દઇએ કે દિલ્હીની તમામ 70 બેઠકો માટે એક જ તબક્કામાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે અને પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણી સત્ય અને જૂઠ વચ્ચે છે. આ દેશભક્ત અને દેશના ગદ્દારો વચ્ચે ચૂંટણી છે.
રામ મંદિર બનાવવાનો રસ્તો સાફ
સીએમ રૂપાણીએ કહ્યું કે રામ મંદિર માટે ભાજપનો જે સંકલ્પ હતો, રામ મંદિર ટ્રસ્ટનું નિર્માણ કરીને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું છે. આ વિપક્ષના લોકોને જરૂર કષ્ટ પડશે. હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડો વધતો રહે, તેમનું આ ષડયંત્ર હતું પરંતુ હવે રામ મંદિર બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
રામ મંદિરને લઇને વિપક્ષ પર પ્રહાર
તેમણે કહ્યું કે વિપક્ષના લોકો પહેલા કહેતા હતા કે રામના નામ પર મત લે છે અને રામ મંદિર નથી બનાવી રહ્યા. હવે રામ મંદિર બનવા જઇ રહ્યું છે તો વિપક્ષને તકલીફ પડી રહી છે. વિપક્ષી તો રામના વિરોધી છે, એટલા માટે તકલીફ થશે.