દિલ્હીના મુખ્યમંત્રી અને પિતા અરવિંદ કેજરીવાલ માટે ગત પાંચ મહીનાથી ઓફિસથી રજા લઇને ચૂંટણી પ્રચાર કરી રહેલી હર્ષિતા કેજરીવાલે દિલ્હી રાજનીતિ પર ખુલીને વાત કરી છે. તેઓએ વર્તમાન સમયમાં જે પ્રકારની રાજનીતિ થઇ રહી છે તેને લઇને પિતાને આતંકી કહેવા સુધી તમામ મુદ્દા પર પ્રતિક્રિયા આપી. અહીં જાણો શું કહ્યું.
દિલ્હીના CM કેજરીવાલની પુત્રીએ રાજનીતિ પર ખુલીને ચર્ચા કરી
હર્ષિતાએ કહ્યું, પિતાએ કહ્યું છે રાજનીતિ ગંદી વસ્તુ, તે નીચે જઇ રહી છે
હર્ષિતાએ પૂછ્યું કે, શું બાળકોને શિક્ષિત કરવા આતંકવાદ છે?
જ્યારે રાજનીતિ વિશે પૂછવામાં આવ્યું તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પુત્રી હર્ષિતાએ કહ્યું, તેઓ કહે છે કે રાજનીતિ ગંદી વસ્તુ છે પરંતુ તે વધારે નીચે જઇ રહી છે. હર્ષિતાએ પૂછ્યું કે શું સ્વાસ્થ્ય સુવિધા લોકોનો ફ્રીમાં ઉપલબ્ધ કરાવવી આંતકવાદ છે? શું બાળકોને શિક્ષિત કરવા આતંકવાદ છે? શું વીજળી અને પાણી વ્યવસ્થા ઠીક કરવી આતંકવાદ છે?
હર્ષિતાએ પોતાના પિતા અરવિંદ કેજરીવાલ વિશે બતાવતા કહ્યું કે, મારા પિતા હંમેશાથી સમાજ સેવા સાથે જોડાયેલા રહ્યા છે. મને આજે પણ યાદ છે કે તેઓ મને, મારા ભાઇ, દાદા-દાદીને સવારે છ વાગ્યે ઉઠાવીને ભગવદગીતાના સંભળાવતા હતા અને હંમેશા ''ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઇચારા'' ગીત ગાઇને અમને તેના વિશે સમજાવતા હતા. શું આ આતંકવાદ છે?
હર્ષિતા કેજરીવાલે આગળ કહ્યું કે, તેઓને આરોપ લગાવવા દો, તેઓને 200 સાંસદ અને 11 મુખ્યમંત્રી પણ લાવવા દો. 'આપ' માટે ન માત્ર અમે પરંતુ દિલ્હીના બે કરોડ લોકો પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. લોકો તેઓને 11 ફેબ્રુઆરીએ બતાવી દેશે કે તેઓએ પાંચ વર્ષોમાં થયેલા કામ પર વોટ આપ્યા છે કે ભાજપના આરોપો પર.
Harshita Kejriwal,Delhi CM Arvind Kejriwal's daughter: They say politics is dirty but it's a new low. Is it terrorism if health facilities are made free&brought to people?Is it terrorism if children are made educated?Is it terrorism if electricity&water supply are improved?(04.2) pic.twitter.com/hClnayFJTC
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આતંકી કહેવા પર તેમની પત્ની સુનીતા કેજરીવાલે પણ કહ્યું કે દિલ્હીની જનતા ખુબ જ સમજદાર છે. જનતા 11 ફેબ્રુઆરીએ જવાબ આપશે.
BJPના નેતાએ કેજરીવાલને બતાવ્યા હતા 'આંતકવાદી'
નોંધનીય છે કે, 28 જાન્યુઆરીએ પશ્ચિમ દિલ્હીના માદીપુર વિધાનસભા વિસ્તારમાં એક સભા દરમિયાન પશ્ચિમ દિલ્હીના બીજેપી (BJP) ના સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલને આતંકવાદી બતાવ્યા હતા. પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, જો કેજરીવાલ ફરીવાર આવી ગયા તો માદીપુરના રસ્તાઓ પરથી નીકળવું મુશ્કેલ બની જશે. વિવાદીત નિવેદનોને પગલે ચૂંટણી પંચે પ્રવેશ વર્માને બીજેપીના સ્ટાર પ્રચારકોની લિસ્ટમાંથી હટાવવા પણ કહ્યું હતું.