દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના રોડ શોમાં કેટલાક લોકોએ નારેબાજી કરી છે. અમિત શાહે રવિવારે દિલ્હીના ઘોંડા વિધાનસભામાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન 'દેશના ગદ્દારોને ગોળી મારો... અને 'હમ દેકર રહેગેં આઝાદી' જેવા નારા લગાવ્યા. દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ તેના પર કડક પ્રતિક્રિયા આપી છે.
ગૃહમંત્રી અમિત શાહના રોડ શોમાં કેટલાક લોકોએ નારેબાજી કરી
અમિત શાહે રવિવારે દિલ્હીના ઘોંડા વિધાનસભામાં રોડ શો કરી રહ્યા હતા
દિલ્હીમાં બીજેપી ચૂંટણી પાણી, યમુનાની સફાઇના મુદ્દા પર ચૂંટણી લઇ રહી છે
આ પ્રકારની નારેબાજીનું સમર્થન નહીં : બીજેપી
મનોજ તિવારીએ કહ્યું કે, બીજેપી આ પ્રકારની નારેબાજીનું સમર્થન નથી કરતી. મનોજ તિવારીએ કહ્યું કે, દિલ્હીમાં બીજેપી ચૂંટણી પાણી, યમુનાની સફાઇના મુદ્દા પર ચૂંટણી લઇ રહી છે. જોકે, કોઇ શાહીન બાગ બનવાનો પ્રયાસ કરશે તો તેનો જવાબ સીએએ (CAA) થી આપવામાં આવશે.
ઘોંડાથી અજય મહાવતને ટિકિટ
ઘોંડા વિધાનસભામાં બીજેપીએ અજય મહાવતને ટિકિટ આપી છે. અમિત શાહ અને દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન અહીં કેટલાક લોકોએ નારેબાજી કરી. રોડ શોમાં મનોજ તિવારીએ કહ્યું કે, આજે આખો દેશ સીએએ (CAA)ના સમર્થનમાં ઉતરી આવ્યો છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે, તથા પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે.