ભારતીય જનતા પાર્ટી (BJP)ની સહયોગી શિરોમણી અકાલી દળ (SAD)એ દિલ્હી વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. SADએ તેની પાછળનું કારણ નાગરકિતા સંશોધન કાયદો (CAA) બતાવ્યો છે. પાર્ટીના નેતા મનજિંદર સિંહ સિરસાએ સોમવારે કહ્યું કે અમે ટિકિટ અથવા બેઠકને લઇને નહીં પરંતુ નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને લઇને આ નિર્ણય લીધો છે.
SADએ તેની પાછળનું કારણ નાગરકિતા સંશોધન કાયદો (CAA) બતાવ્યો
મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, ગઠબંધન પહેલાની જેમ ચાલતુ રહેશે
તેઓએ કહ્યું કે, ગઠબંધન પહેલાની જેમ ચાલતુ રહેશે પરંતુ અમે દિલ્હીની ચૂંટણી નહીં લડીએ.
મનજિંદર સિંહે સિરસાએ કહ્યું કે શિરોમણી અકાલી દળ તરીકે અમારો બીજેપીની સાથે જુનું ગઠબંધન છે પરંતુ ગત દિવસોએ અમારા નેતા સુખબીર બાદલના સીએએ (CAA) પરના સ્ટેન્ડને જોતા અમે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. તેઓએ કહ્યું કે, SADએ સ્પષ્ટ માન્યું છે કે, અમે ધર્મના આધાર પર ભેદભાવ નહીં થવા દઇએ. અમે CAAનું સમર્થન કરતા હતા પરંતુ કોઇ ધર્મના વિરુદ્ધ ન જઇ શકીએ.
M Sirsa: SAD and BJP have an old relationship, but after stand by Sukhbir Badal ji on #CAA which was to include ppl from all religions, BJP leadership wanted us to reconsider this stand. So, we decided to not fight these polls instead of changing our stand. #DelhiElections2020pic.twitter.com/eWfR7lViLI
મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, અમારી ગત 3 દિવસોથી બીજેપીની સાથે વાર્તા ચાલી રહી હતી, પરંતુ અમે પોતાના વલણ પર પાછળ હટવા તૈયાર નથી. આજ કારણ છે કે, અમારા નેતાના આદેશ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, દિલ્હીમાં શિરોમણી અકાલી દળ વિધાનસભા ચૂંટણીથી દૂર રહેશે.
નોંધનીય છે કે, દિલ્હીમાં શિરોમણી અકાલી દળથી હાલ એક ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસા છે અને આ વખતે તેઓએ પણ પાર્ટીનો નિર્ણય માનતા ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો છે.