દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં શાહીન બાગ મહત્વનો મુદ્દો બની ગયો છે. તેમજ ભાજપનાં અનેક નેતાઓ મંત્રીઓ તેને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ભાજપ સાંસદ પ્રવેશ વર્મા બાદ વધું એક ભાજપનાં નેતાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું છે કે દિલ્હીને સીરિયા નહીં બનવા દઈએ.
રાજધાનીમાં ISIS જેવા ટેરર મોડ્યુલની પરવાનગી ન આપી શકીએ
અનુરાગ અને પ્રવેશ બાદ તરુણ ચુંઘનું વિવાદાસ્પાદ નિવેદન
શાહીન બાગ પર નિશાનો સાધતા આપ્યું નિવેદન
We will not let Delhi become Syria and allow them to run an ISIS-like module here,where women and kids are used. They are trying to create fear in the minds of people of Delhi by blocking the main route. We will not let this happen.(We will not let Delhi burn).#ShaheenBaghKaSach
ભાજપના રાષ્ટ્રીય સચિવ અને દિલ્હીનાં સહ પ્રભારી તરુણ ચુંઘ પણ વિવાદાસ્પાદ નિવેદનની હોડમાં આવી ગયાં છે. તેમણે કહ્યું છે કે દિલ્હીને સીરિયા નહીં બનવા દઈએ. તેમણે એ વાત પર ભાર મુકતા કહ્યું હતું કે રાજધાનીમાં ISIS જેવા ટેરર મોડ્યુલ ચલાવવાની પરવાનગી ન આપી શકીએ. જ્યાં મહિલાઓ અને બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય.
તરુણ ચુંઘે કહ્યું કે આતંકવાદી મોડ્યુલની પરવાનગી નહી આપીએ
તરુણ ચુંઘે ટ્વીટ કરી કહ્યું હતું કે ,‘અમે દિલ્હીને સીરિયા નહી બનવા દઈએ અને તેમને મંજૂરી નહી આપીએ કે અહીં ISIS જેવું ટેરર મોડ્યુલ ચલાવે. જેમાં મહિલાઓ અને બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય. આ લોકો મુખ્ય રસ્તો બંધ કરી દિલ્હીનાં લોકોનાં મનમાં ડર ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમે આ બિલકુલ થવા નહીં દઈએ. (અમે દિલ્હીને સળગવા નહી દઈએ)#ShaheenBaghKaSach કરી તેમણે પોસ્ટ કર્યું છે. તેમનું આ નિવેદન શાહીન બાગના પ્રદર્શનને લઈને હતું.
આ મંત્રીઓ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ‘દેશનાં ગદ્દારો કો... ’ત્યારે સભામાં હાજર ભાજપનાં નેતાઓ બૂમ પાડીને કહે છે કે ‘ગોલી મારો...’આ બાદ સાંસદ પ્રવેશ વર્માએ શાહીન બાગનાં પ્રદર્શનને લઈને ટિપ્પણી કરી હતીં કે, ‘લાખો લોકો શાહીન બાગમાં ભેગા થાય છે. તમારે વિચારીને નિર્ણય કરવો પડશે. તે તમારા ઘરોમાં ઘૂસશે. તમારી બહેન દીકરીઓની સાથે બળાત્કાર કરશે. તેમની હત્યા કરશે. કાલે મોદી કે અમિત શાહ તમને બચાવવા નહીં આવી શકે. આ સંદર્ભમાં અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માનું નામ સ્ટાર પ્રચારકોનાં લિસ્ટમાંથી હટાવવામાં આવ્યું હતું.