દિલ્હી વિધાનસભા ચુંટણીને લઈને આજે આમ આદમી પાર્ટીનાં કેજરીવાલે 10 ગેરંટી આપી. તેને જાહેર કરતાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું મારી તરફથી દિલ્હી જનતાને 10 ગેરંટી આપવામાં આવી રહી છે. ગેરંટી કાર્ડનાં માધ્યમથી અમે કેટલીય યોજનાઓની 5 વર્ષ સુધી ગેરંટી આપી રહ્યાં છીએ. જનતાને જણાવી દઈએ કે આ યોજનાઓ આવનારા 5 વર્ષ સુધી લાગુ પડશે. જણો શું છે આપનું ગેરંટી કાર્ડ
દરેક પરિવારને ફ્રી માં સારવારની ગેરંટી
મહિલાઓની ફ્રી બસ સેવા આગામી 5 વર્ષ ચાલુ રહેશે
પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયાસ-જાગૃતિ લાવીશું
ગેરંટી કાર્ડ તમામને પ્રભાવીત કરશે
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, આવનારા કેટલાંક દિવસોમાં મેનીફેસ્ટો પણ આવશે. મેનીફેસ્ટોમાં ડૉક્ટર, કોન્ટ્રાક પર કામ કરનારા, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સફાઈ કર્મચારીઓ પર વાતો થશે. પરંતુ ગેરંટી કાર્ડ તમામ દિલ્હીવાસીઓને પ્રભાવીત કરશે. ઘોષણા પત્ર 8-10 દિવસ બાદ આવશે.
CM કેજરીવાલ દ્વારા 5 વર્ષમાં 10 કામની ગેરંટી. આપનાં ઘોષણા પત્રમાં વિસ્તૃત મુદ્દા હશે. ગેરંટી કાર્ડમાં 24 કલાક સુધી વિજળી મળશે. 200 યૂનિટ વીજળીની યોજના ચાલુ રહેશે. દરેક ઘરમાં નળથી પાણી પહોંચશે. દિલ્હીમાંથી વીજ વાયરો દૂર કરવા. 20 હજાર લીટર પાણી નિશુલ્ક આપવા. દિલ્હીમાં જન્મ લેનાર બાળકને સારી શિક્ષાની ગેરંટી પણ આપવામાં આવશે. તેમજ ઢો-12 બાદ લોન અપાવવાની ગેરંટી. દરેક પરિવારને ફ્રીમાં સારવાર, 500 કિમીથી વધુનું મેટ્રો નેટવર્ક હશે તેવી ગેરંટી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓને પણ ફ્રીમાં બસ મુસાફરીની ગેરંટી
મહિલાઓની ફ્રી બસ સેવા આગામી 5 વર્ષ ચાલુ રહેશે. તેમજ વિદ્યાર્થીઓને પણ ફ્રીમાં બસ મુસાફરીની પણ ગેરંટી આપી છે. તેમજ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારાશે. 10 હજારથી વધુ બસ રસ્તા પર ઉતારવાની પણ વાત કરવામાં આવી છે, તેમજ કેજરીવાલે પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયાસ-જાગૃતિ લાવવા પ્રયાસ કરવાની પણ ગેરંટી આપી છે. દિલ્હીને કચરા મુક્ત બનાવવાની ગેરંટી પણ કેજરીવાલે આપી.