ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એલજીને પત્ર લખીને મોટો પલટવાર કર્યો છે. આ પત્રમાં ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું કે ઉપરાજ્યપાલ ચૂંટાયેલી સરકારને બાયપાસ કરી રહ્યા છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર વચ્ચે વિવાદ
એલજી વીકે સક્સેનાએ ગાંધી જયંતી પર લખ્યો CMને પત્ર
Dy.CM સિસોદિયાએ વળતા જવાબમાં મોકલ્યો પત્ર
દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને દિલ્હી સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સોમવારે એલજી વીકે સક્સેનાના પત્ર બાદ હવે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એલજીને પત્ર લખીને મોટો પલટવાર કર્યો છે. આ પત્રમાં ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું કે ઉપરાજ્યપાલ ચૂંટાયેલી સરકારને બાયપાસ કરી રહ્યા છે. તમામ તપાસ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. એ પણ કહ્યું કે તમને જમીન, પોલીસ, જાહેર વ્યવસ્થા અને સેવાઓ સિવાયની કોઈપણ બાબતમાં આદેશ આપવાનો અધિકાર નથી.
મનીષ સિસોદિયાએ સાધ્યું નિશાન
એલજી પર પ્રહાર કરતા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે તમારા તમામ આદેશો રાજનીતિથી પ્રેરિત છે. કારણ કે અત્યાર સુધીની કોઈપણ તપાસમાં કંઈ બહાર આવ્યું નથી. એટલા માટે તમને બંધારણ મુજબ કામ કરવા માટે વિનંતી છે.
ઉપરાજ્યપાલને લખ્યો પત્ર
મનીષ સિસોદિયાએ ઉપરાજ્યપાલને લખેલા પત્રમાં કહ્યું છે કે તમે અમારા કામ પર નવી તપાસ ગોઠવી રહ્યા છો. આ તમામ તપાસ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. એ પણ કહ્યું કે જો તમારે કોઈ વિષય પર તપાસ કરાવવી હોય તો તમારે સંબંધિત મંત્રી અથવા મુખ્યમંત્રીને પત્ર લખવો પડશે. તમે આ 4 વિષયો સિવાય કોઈપણ વિષય પર કોઈપણ અધિકારીને સીધા આદેશ આપી શકતા નથી.
સ્વેચ્છિક લીધેલા નીર્ણય અનુસરવા અશક્ય
ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું કે ચૂંટાયેલી સરકારને સંપૂર્ણપણે બાયપાસ કરીને, તમારા દ્વારા લેવામાં આવેલા સ્વેચ્છિક નિર્ણયોને આ રીતે અનુસરવાનું શક્ય નથી. તેમજ ચીફ સેક્રેટરીને આપેલા તમામ આદેશો પાછા ખેંચવા જોઈએ.
ગાંધી જયંતી પર CM કેજરીવાલ ગેરહાજર
હકીકતમાં સોમવારે એલજી વીકે સક્સેનાએ સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે ગાંધી જયંતિના અવસર પર દિલ્હી સરકારના મુખ્યમંત્રી કે કોઈ મંત્રી રાજઘાટ પહોંચ્યા નથી. લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ પર સીએમ કેજરીવાલ કે કોઈ મંત્રી પણ આવ્યા ન હતા. એલજી સક્સેનાએ કહ્યું હતું કે જ્યાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આવ્યા હોય ત્યાં આવું ન થવું જોઈતું હતું. લેફ્ટનન્ટ ગવર્નરે પત્રમાં લખ્યું છે કે પ્રથમ દૃષ્ટિએ આ કેસ પ્રોટોકોલના ઇરાદાપૂર્વક ભંગનો મામલો હોવાનું જણાય છે.
AAP એ વળતો જવાબ આપ્યો
જો કે લેફ્ટનન્ટ ગવર્નરના આ પત્રનો આમ આદમી પાર્ટીએ પણ જવાબ આપ્યો હતો. AAPએ કહ્યું હતું કે આ પત્ર પીએમ મોદીના નિર્દેશ પર લખવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સીએમ અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા વર્ષોમાં ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિના કાર્યક્રમોમાં હંમેશા સામેલ રહે છે. તે દિવસે સીએમ ગુજરાતમાં હતા અને તેથી તેઓ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા.