વધારે ગરમી હોવાંને કારણે એક પરિવાર ઘરથી બહાર નીકળીને નજીકનાં જ જાહેર રસ્તા પર જઇને બેસ્યો અને તે પરિવારની સામે જ એક વ્યક્તિ ટોયલેટ કરવા લાગ્યો અને તેને જ્યારે ના કહી ત્યારે તેને કેટલાંક યુવકોએ બહાર બેસેલા પરિવારનાં એક સભ્યમાંથી એક યુવકની પથ્થર મારીને હત્યા કરી નાખી.
દિલ્હીનાં લોકોને સામાન્ય રીતે જોઇએ તો નાની-નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે અને હત્યા કરતા પણ સહેજ પણ સંકોચ અનુભવતા નથી. એટલું જ નહીં પરંતુ ખતરનાક ઘટનાને અંજામ આપતા પણ તેઓ વાર નથી કરતા. ગોવિંદપુરીનાં નહેરુ કેમ્પમાં થયેલ ઘટનામાં જ્યાં સોમવારનાં રોજ સાંજનાં કેટલાંક લોકોએ 28 વર્ષનાં લીલુ નામનાં યુવક પર પથ્થરોથી તેને મોતને ઘાટ ઉતારી દીધો.
હકીકતમાં વધારે ગરમી હોવાંને કારણે એક પરિવાર ઘરથી બહાર નીકળીને નજીકનાં જ જાહેર રસ્તા પર જઇને બેસ્યો અને તે પરિવારની સામે જ એક વ્યક્તિ ટોયલેટ કરવા લાગ્યો અને તેને જ્યારે ના કહી ત્યારે તેને કેટલાંક યુવકોએ બહાર બેસેલા પરિવારનાં એક સભ્યમાંથી એક 28 વર્ષનાં યુવકની પથ્થર મારીને હત્યા કરી નાખી. મૃતક વિસ્તારનો બદમાશ હતો અને તેની પર 17 કેસ દાખલ હતાં.
સાઉથ ઇસ્ટ દિલ્હીનાં ગોવિંદપુરી વિસ્તારમાં લાઇટ જવાને કારણ લીલુ અને તેની પત્ની ઘરની બહાર બેઠા હતાં, તે દરમ્યાન એક શખ્સ ત્યાં ટોયલેટ કરવા લાગ્યો ત્યારે નીલુએ તેને ત્યાં ટોયલેટ કરવાની ના કહી ત્યારે તે પછી 2 છોકરાઓ અને તેમનાં મા-બાપે આવીને નીલુની સાથે મારપીટ શરૂ કરી દીધી. આ દરમ્યાન એક શખ્સે મોટો પથ્થર લઇને નીલુનાં માથા પર અને પેટમાં માર્યો જે કારણોસર નીલુનું ઘટનાસ્થળ પર જ બેહોશ થઇ ગયો અને નીલુને એમ્સ ટ્રામામાં લઇ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.
પોલીસનાં જણાવ્યાં મુજબ મૃતક નીલુ તે વિસ્તારનો જાહેર કરાયેલો ગુનેગાર હતો. તેની પર 17 કેસ દાખલ હતાં અને તેને 4 બાળકો હતાં અને ઘરમાં કમાનાર શખ્સમાં પણ તે એક પોતે જ હતો. નીલુનાં મોત બાદ ઘરવાળાઓનાં રોઇ-રોઇને બુરા હાલ થઇ ગયા હતાં. જો કે હાલમાં પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહેલ છે.