દિલ્હીની એક કોર્ટે કહ્યું હતું કે, દિકરીના મૃત્યુ બાદ પણ જમાઈ અને ભાણેજના પિતાની સંપત્તિમાં અધિકાર હોય છે.
સંપત્તિ વિવાદમાં કોર્ટનો મહત્વનો ચુકાદો
કોર્ટે માન્યુ કે, પિતાની સંપત્તિમાં દિકરીનો પણ હક
જો દિકરી મૃત્યુ પામે તો...
ગુરૂવારે સંપત્તિ વિવાદમાં સુનાવણી કરતા દિલ્હીની એક કોર્ટે કહ્યું હતું કે, દિકરીના મૃત્યુ બાદ પણ જમાઈ અને ભાણેજના પિતાની સંપત્તિમાં અધિકાર હોય છે. કોર્ટે આગામી આદેશ સુધી બીજા પક્ષની સંપત્તિના વેચાણ અથવા અન્ યકોઈ અધિકાર પર રોક લગાવી દીધી છે.
આપને જણાવી દઈએ કે, ગુરૂવારે દિલ્હીના સાકેત સ્થિત નરેશ કુમાર લાકારની કોર્ટે સંપત્તિ વાવાદ પર સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે એ આદેશ આપ્યો હતો. હકીકતમાં મામલામાં ભાણેજે પોતાના બે કેસ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં મામ દ્વારા નાનાની સંપત્તિમાં અધિકાર ન આપવાની વાત કહેવામાં આવી હતી.
દિકરીના બાળકો અને પતિનો પિતાની સંપત્તિમાં હોય છે અધિકાર
તો વળી કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, દિકરીનું જો મોત થઈ જાય તો, તેના પતિ અને તેના બાળકો પિતાની સંપત્તિમાં અધિકાર ધરાવે છે. આ સ્થિતિમાં બીજા પક્ષ સંપત્તિમાં ભાગલાનું નક્કી ન થાય ત્યાં સુધી પ્રોપર્ટી વેચી શકે નહીં.
કોર્ટે આગામી સુનાવણી સુધી સંપત્તિ વેચવા પર રોક લગાવી દીધી
તેની સાથે જ કોર્ટે કહ્યું કે, અરજીકર્તાની માતા પોતાના પિતાની સંપત્તિની ઉત્તરાધિકારી હતી. ત્યારે આવા સમયે એક તૃત્યાંશ ભાગ પર તેનો પણ હક છે. તો વળી કોર્ટે આ મામાલામાં આગળની તારીખ સુધી સંપત્તિમાં સંબંધિત કાર્યાલય દ્વારા મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યા છે. તો વળી આગામી આદેશ સુધી પ્રોપર્ટી વેચવા પર પણ રોક લગાવી દીધી છે.