નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસ મામલે દિલ્હીની એક કોર્ટે દોષિતોના વકીલોએ કરેલી અરજી રદ્દ કરી નાંખી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તિહાડ જેલ દસ્તાવેજ નથી આપી રહી.
નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલો
દોષિતોનો વધુ એક અરજી કોર્ટે ફગાવી
ફાંસી લંબાવવા માટેની વધુ એક ચાલ નિષ્ફળ
નોંધનીય છે કે, બચાવપક્ષના વકીલે તિહાડ જેલના અધિકારીઓએ વકીલ તરફથી માંગવામાં આવેલા સંબંધિત તમામ દસ્તાવેજો પહેલાથી જ આપી દીધા છે. જે અંગે દિલ્હીની કોર્ટે કહ્યું હતું કે આ મામલે કોઈ આદેશની જરૂરિયાત નથી અને કોર્ટે આ અરજી રદ્દ કરી નાખી હતી.
દોષિતોને ધીમું ઝેર આપવામાં આવ્યું હોવાનો વકીલે કર્યો દાવો
ફાંસીની સજા ટાળવા માટે નિર્ભયાના દોષિત અને તેમના વકીલ એક પછી એક ચાલ ચાલી રહ્યા છે. આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દોષિત પક્ષના વકીલ એપી સિંહે દાવો કર્યો કે જેલમાં દોષિત વિનય શર્માને ધીમુ ઝેર આપવામાં આવ્યું.
સરકારી વકીલ બોલ્યા, દોષિતોના તમામ દસ્તાવેજ સોંપવામાં આવ્યા
સરકારી વકીલે દોષિતોના વકીલને દસ્તાવેજ નહીં સોંપવાના દાવાને ફગાવી દેતા કહ્યું કે તમામ જરૂરી દસ્તાવેજ જેલ તંત્રને સોંપવામાં આવી ચૂક્યા છે. દોષિતોના વકીલ પહેલા પણ ઘણીવાર કોર્ટમાં સુનાવણીમાં જરૂરી દસ્તાવેજ નહીં મળવાને લઇને જુઠ્ઠા આરોપ લગાવતા રહ્યા છે.
નવા ડેથ વોરંટના આધારે 1 ફેબ્રુઆરીએ અપાવવાની છે ફાંસી
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે હાલમાં જ 2 અન્ય દોષીઓ વિનય અને મુકેશની અરજી દાખલ કરી હતી. તમામ દોષીઓને પટિયાલા હાઉસ કોર્ટથી આપવામાં આવેલા નવા ડેથ વોરંટના આધારે 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે.
એક દોષિતે ખાવાનું ઓછું કર્યું હોવાના મળ્યા અહેવાલ
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 4 ગુનેગારો પૈકી એક ગુનેગારે પોતાની જિંદગીનો અંત આવવાનો છે. એવા ડરથી ખાવાપીવાનું છોડી દીધું છે. બીજા અપરાધીએ ખાવાનું ઓછું કરી દીધું છે. પવનકુમારે પણ ખાવાનું ઓછું કરી નાખ્યું છે. તિહાર જેલમાં બંધ નિર્ભયાનાં આ ચારેય ગુનેગારોની સુરક્ષા પાછળ દર રોજનો રૂ.પ૦,૦૦૦નો ખર્ચ આવે છે. જે દિવસે કોર્ટે તેમને ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જારી કર્યાં હતાં. તે દિવસથી તેમની સુરક્ષા માટે ૩ર સુરક્ષા ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. સીસીટીવીની નજર હેઠળ તેમને રાખવામાં આવ્યાં છે.