દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આજે બધા જ જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
દિલ્હીની કોરોના સ્થિતિ બગડી રહી છે
ઑક્સિજન, બેડ આઇસીયુ બેડની સંખ્યા વધારાશે
દરેક હોસ્પિટલમાં એક નોડલ અધિકારીની નિમણૂંક
અરવિંદ કેજરીવાલે દિલ્હીની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે, રાજધાનીમાં કોરોનાના કેસોના વધારાને લઈને મુખ્યમંત્રીએ આજે સમીક્ષા બેઠક કરી હતી, જેમાં કહ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 24 હજાર નવા કેસ આવ્યા છે અને હાલની પરિસ્થિતિ ઘણી ચિંતાજનક છે.
ઑકિસજનની અછત
મહત્વનું છે કે કોરોના દર્દીઓને પથારીની અછત અને આઇસીયુ બેડની ઉણપના આરોપો વચ્ચે દિલ્હી સીએમ કેજરીવાલ હાલની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ કર્ફ્યૂ સહિતના પગલાં પણ ભરવામાં આવ્યા છે. જો કે હાલમાં સીએમ કેજરીવાલે કહ્યું હતું કે હાલમાં ઑક્સીજનની અછત થઈ રહી છે, આઇસીયુ બેડ અને અન્ય બેડ પણ ભરાઈ રહ્યા છે. દિલ્હીની અંદર સીમિત સંખ્યામાં બેડ છે, અમે લગાતાર પથારીઓની સંખ્યા વધારવાની કોશિશ કરી રહ્યા છીએ.
2-4 દિવસ લાગશે
સીએમ કેજરીવાલે કહ્યું હતું કે જો કે અત્યાર સુધીમાં અમારી સરકારે બેડની કોઈ કમી પડવા નથી દીધી, ઑક્સીજનની પણ ઘટ નહીં પડવા દઈએ. અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલા બને તેટલા વધને વધુ બેડ આપી શકીએ. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 1300 નવા બેડ લગાવવામાં આવશે, હોટેલ્સ અને બેનક્વેટ હૉલ્સને પણ દવાખાનાની સાથે જોડવામાં આવઇ રહ્યા છે, 2100 બેડસની ક્ષમતા વધારવામાં આવશે.
બેઠકમાં આ લોકો હાજર રહ્યા
આ મીટીંગમાં કોવિડ અફેર્સના નોડલ પ્રધાન મનીષ સિસોદીયા, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને રાજ્યના બાકીના વહીવટી કર્મચારીઓ પણ શામેલ હતા. એવું માનવામાં આવે છે કે જો વિકેન્ડ કર્ફ્યુથી કોરોના ઇન્ફેક્શનની ગતિ ઓછી નહીં થાય તો ટૂંક સમયમાં જ દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી શકાય છે.
દરેક હોસ્પિટલમાં એક નોડલ ઓફિસર
દરમિયાન, દિલ્હી સરકારે કોરોનાની સારવારમાં રોકાયેલા તમામ સરકારી અને મોટી ખાનગી હોસ્પિટલો માટે દરેક હોસ્પિટલમાં નોડલ અધિકારીની નિમણૂક કરી છે. આઈએએસ અધિકારીઓને 11 સરકારી હોસ્પિટલોમાં નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે દિલ્હીના અધિકારીઓને 15 મોટી ખાનગી હોસ્પિટલો માટે નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રોબેશન સમયગાળા દરમિયાન તાલીમ લેતા ડેનિક્સ અધિકારીઓ પણ દિલ્હી સરકારી હોસ્પિટલો સાથે જોડાયેલા છે, જે આઈએએસ અધિકારીને મદદ કરશે.
આ સૂચનાઓ આપી
દિલ્હી સરકારે જારી કરેલા આદેશમાં આઈએએસ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની જ સરકારી હોસ્પિટલમાં બેસીને તેમના સ્ટાફનો ઉપયોગ કરશે. આ અધિકારીઓનું કામ હોસ્પિટલની અંદર વધુ સારી વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનું છે, તે જુઓ કે ટેલિફોન લાઇનો / કોલ સેન્ટર્સ વિક્ષેપ વિના કાર્યરત છે અને જાહેર ફરિયાદોના નિવારણ માટે એક વધુ સારી અને અસરકારક સિસ્ટમ સુનિશ્ચિત કરશે.
અધિકારીઓનાં નામ અને નંબર આપવામાં આવશે
ખાનગી હોસ્પિટલોમાં નિયુક્ત ડેનિક્સ અધિકારીઓને હોસ્પિટલનું સંચાલન જોવા, સરકાર દ્વારા અપાયેલી સૂચનાનું યોગ્ય પાલન થાય તે જોવા અને જાહેર ફરિયાદોના નિવારણ માટે વધુ સારી અને અસરકારક સિસ્ટમ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં આ નોડલ અધિકારીઓનાં નામ અને ફોન નંબર હોસ્પિટલનાં મહત્વના સ્થળે દર્શાવવા જોઈએ.