દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થવાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં બેડની સંખ્યાને વધારવા માટે આવનારા અઠવાડિયામાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે.
દિલ્લીમાં વધતું કોરોનાનું સંક્રમણ
કેજરીવાલ અમિત શાહ સાથે કરી શકે મુલાકાત
હોસ્પિટલોમાં વધારાના બેડ માટે મુલાકાત
મળતી માહિતી અનુસાર એ જાણકારી મળી રહી છે કે ગૃહમંત્રી સાથે મુલાકાત દરમિયાન કેજરીવાલ વધારાના બેડની સાથે સાથે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે અન્ય રાજ્યોનો સહયોગ નક્કી કરવા માટે અન્ય અનેક પગલાં પર વાતચીત કરી શખે છે.
दिल्ली में पिछले 24 घंटों में 7340 नए #COVID19 मामले, 7117 रिकवरी / डिस्चार्ज / माइग्रेटेड और 96 मौतें दर्ज़ की गई हैं।
राष्ट्रीय राजधानी में कुल मामले बढ़कर 4,82,170 हो गए, जिनमें 4,30,195 रिकवरी / डिस्चार्ज / माइग्रेटेड और 7519 मौतें शामिल हैं। सक्रिय मामले 44,456 हैं। pic.twitter.com/5xiaqkVkO1
કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે દિલ્હી સરકાર દિવાળી બાદ ભીડને નિયંત્રિત કરવા અને સામાજિક દૂરી તથા માસ્ક લગાવવાને લઈને કડક વલણ જેવા કોરોના સંબંધી પગલાં લઈ શકે છે.