દેશમાં કોરોના રસીકરણની શરુઆત થઈ ગઈ છે. ભારતે પહેલા દિવસે 2 લાખથી વધારે લોકોને રસી લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ આ બધાથી અલગ રસીકરણને લઈને રાજકારણ ગરમાયું છે. જેની એક ઝલક દિલ્હીમાં જોવા મળી છે. હકિકતમાં રસીકરણના પહેલા દિવસે દિલ્હીમાં લક્ષ્યથી અડધા લોકોને રસી આપવામાં આવી જેના પર વિવાદ થયો છે.
બીજી તરફ ભાજપે આપને ઘેરવાનું શરુ કર્યુ છે
કોંગ્રેસે ભાજપ પર સવાલ ઉભા કર્યા છે
જાણી જોઈને એમસીડીની હોસ્પિટલોને દુર રાખવામાં આવી રહી છે
કોંગ્રેસે ભાજપ પર સવાલ ઉભા કર્યા છે
હકિકતમાં દરેક રાજ્યમાં એક દિવસમાં રસીકરણને લઈને કેટલાક ટારગેટ રાખવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીએ રસીકરણના પહેલા દિવસે 8100 લોકોને રસી આપવાની હતી. પરંતુ ફક્ત 4319 લોકોને જ રસી અપાઈ. તેવામાં હવે કોંગ્રેસે તેના પર સવાલ ઉભા કર્યા છે. આરોપ લગાવ્યો છે કે કેન્દ્રમાં અને દિલ્હીની ત્રણેય એમસીડીમાં ભાજપ સત્તામાં છે. તે પછી આટલું વેક્સીનેશન કેમ થયું. બીજી તરફ ભાજપે આપને ઘેરવાનું શરુ કર્યુ છે. ભાજપનું કહેવું છે કે કેજરીવાલ સરકાર જ રસીકરણનું કામ જોઈ રહી છે. તેવામાં તમામ જવાબદારી તેમની છે.
જાણી જોઈને એમસીડીની હોસ્પિટલોને દુર રાખવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રસીકરણ સેન્ટરની સંખ્યાં 81 છે. તેવામાં એમસીડીના હોસ્પિટલોને સામેલ કરવામાં આવ્યા નથી. ફક્ત કેન્દ્ર અને રાજ્ય સરકારોના હોસ્પિટલોમાં જ રસીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે. તેવામાં ભાજપ તરફથી આરોપ લગાવાઈ રહ્યો છે કે જાણી જોઈને એમસીડીની હોસ્પિટલોને દુર રાખવામાં આવી રહી છે.
રસીકરણને રફ્તાર અપાઈ રહી છે
ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરુઆત થઈ હતી. અત્યાર સુધી દેશમાં 3 લાખની નજીર રસીકરણ થઈ ચુક્યું છે. જલ્દી જ રસીકરણ દેશમાં સ્પીડ પકડશે. શરુઆતમાં લક્ષ્ય છે કે 3 કરોડ કોરોના વોરિયર્સને રસી અપાય. દિલ્હીમાં સેન્ટરની સંખ્યા 1 હજાર સુધી કરવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ રસીકરણને રફ્તાર આપવામાં આવી રહી છે.