દિલ્હીમાં કોરોનાનું સંકટ વધુને વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે, કોરોના કેસોની સંખ્યાએ અત્યાર સુધીના બધા રેકોર્ડસ તોડી નાખ્યા છે.
દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે
આજે પણ આવ્યા રેકોર્ડબ્રેક 19486 કેસ
દિલ્હીમાં આજથી વીકેન્ડ કર્ફ્યૂ લાગુ
દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે અત્યાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 13 લાખને પાર પહોંચી ગઈ છે, અને રાજધાની દિલ્હીમાં પણ દૈનિક કેસોનો આંકડો સતત વધી રહ્યો છે, મહત્વનું છે કે આજે પણ દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 19,486 કેસ નોંધાયા હતા અને મોત પામનારાની સંખ્યા 141 રહી હતી.
કોરોનાના આંકડામાં થઈ રહ્યો છે વધારો
દેશની રાજધાનીમા દિન-પ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યામાં વૃદ્ધિ થતી જોવા મળે છે, જેણે લીધે રાજધાની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે, જેને નાથવા માટે આજથી વીકેન્ડ કર્ફ્યૂની શરૂઆત કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે જેનું એલાન સીએમ અરવિંદ કેજરીવાલે કર્યું હતું.
કોરોનાએ બધા રેકોર્ડ તોડી દીધા
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 19,486 નવા કેસ સામે આવ્યા હતા, સાથે જ 141 લોકોના મોત પણ નિપજ્યાં હતા, નોંધનીય છે કે અત્યાર સુધીમાં આ આંકડો કેસ અને મોત બંને બાબતમાં દિલ્હીનો સર્વોચ્ચ આંકડો છે, સાથે જ દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદમાં કોરોનાના 595 કેસ અને નોઇડામાં 497 નવા કેસ સામે આવ્યા હતા.
કેજરીવાલે બેઠક બોલાવી
કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા અને સમીક્ષા માટે સીએમ કેજરીવાલે આજે પણ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય અધિકારીઓની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સીએમ કેજરીવાલે બધા જિલ્લા અધિકારીઓને ઓક્સિજન બેડની સંખ્યા વધારવાના નિર્દેશ આપ્યા હતા, સાથે જ લોકોને દવાખાનામાં હાજર પથારીઓની સાચી જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. આની સિવાય હોમ આઇસોલેશનમાં રહી રહેલા દર્દીઓની પાસે જલ્દીથી સરકારી ટીમો મોકલીને ઓકસીમિટર આપવાના નિર્દેશ આપ્યા હતા.
કર્ફ્યૂ પર LGની મિટિંગ
દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે ઉપરાજ્યપાલે પોલીસ કમિશનર, બધા જિલ્લા અધિકારીઓ અને MCD ના મેયરની સાથે બેઠક કરી હતી અને અનિલ બૈજલે નિર્દેશ આપ્યા હતા કે કર્ફ્યૂનો કડકાઇથી અમલ કરાવવામાં આવે.
AIIMSમાં ડોકટરોની સાથે બેઠક કરવામાં આવી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે એમ્સની પણ મુલાકાત લીધી હતી, અને ડોકટરોની સાથે ચર્ચા પણ કરી હતી, સાથે જ ડોકટરોએ તેમની સામે સ્ટાફ અને ઑક્સીજનનું મુદ્દો પણ ઉઠાવ્યો હતો.