દિલ્લીના મુખર્જી નગરમાં ગ્રામીણ સેવા ચાલક સાથેની મારપીટ મામલે સોમવારે મોડી રાતે લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓની માગણી હતી કે સરબજીત સિંહને મારનાર પોલીસકર્મીઓને તેમને સોંપી દેવામાં આવે.
મોડી રાતે ઘટનાસ્થળે પહોંચેલા શિરોમણી અકાલીદળના નેતા મનજિંદર સિંહ સિરસાની સાથે પણ પોલીસ સ્ટેશન પર લોકોએ ધક્કા-મુક્કી કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. મોડી રાતે શિખ સમુદાયનું એક પ્રતિનિધિમંડળ પોલીસના હાઇકમાન્ડને મળ્યાં.
જેમાં પોલીસ સામે માગ રાખવામાં આવી છે કે ડ્રાઇવર સરબજીત વિરુધ્ધ હત્યાના પ્રયાસની ધારા 307 લગાવામાં આવી છે તેને હટાવી દેવામાં આવે. આ સાથે વીડિયોમાં જોવા મળી રહેલા બધા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે.
દિલ્લીમાં ઓટો ડ્રાઈવર સરબજીતની પોલીસે કરેલી પિટાઈનો મામલો વણસ્યો છે. પોલીસે આ મામલે ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. શિખ સમુદાયની માગ છે કે તમામ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે. ગઈ રાતે મુખર્જીનગરમાં શિખ સમુદાય ઉમટ્યુ હતુ અને ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
શિખ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે ભાજપના ધારાસભ્ય મનજિંદરસિંહ સિરસા પહોંચ્યા તો તેમને પણ કડવો અનુભવ થયો. પ્રદર્શનકારીઓએ મનજિંદરસિંહ સિરસાને ધક્કે ચઢાવ્યા હતા. આ સિવાય શિખ સમુદાય દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યું હતુ અને પોતાની રજૂઆત કરી હતી.
આ ઉપરાંત શિખ સમુદાયનું એક ડેલીગેશન પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળ્યુ હતુ. જેમાં એવી માગ કરવામાં આવી કે ઓટો ડ્રાઈવર સરબજીત વિરૂદ્ધ લગાવવામાં આવેલી કલમ 307ને હટાવવામાં આવે.