ભૂતકાળમાં થયેલી ભૂલોનો બોધપાઠ લેતા કોંગ્રેસે આ વખતે પીએમ મોદીએ દ્વારા ઉઠાવવામાં આવેલ વસ્તી નિયંત્રણના મુદ્દે શરૂઆતથી સ્પષ્ટ રીતે સમર્થન આપશે. અન્ય વિરોધી પક્ષો પણ માને છે કે તેને મુદ્દો બનવા દેવામાં આવે, જેથી તેનો રાજકીય ઉપયોગ માટે કરવામાં ન આવે.
આપને જણાવી દઇએ કે, લાલકિલ્લા પરથી પીએમ મોદીએ વસ્તી વિસ્ફોટને ચિંતાજનક ટ્રેન્ડ ગણાવતા નાના પરિવારની પરિકલ્પનાને દેશભક્તિ સાથે જોડ્યા હતા. તેના બીજા દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ અને બાદમાં કોંગ્રેસે પાર્ટીએ પણ સ્તરે પીએમ મોદીની વાતને સમર્થન આપ્યું હતું, તેની પાછળની આ રણનીતિ હતી.
તમામ સરકારે વસ્તી નિયંત્રણને આપી છે પ્રાથમિકતા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિત વિપક્ષના સીનિયર નેતાએ કહ્યું હતું કે, વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે તમામ સરકાર અને રાજકીય પાર્ટીઓની પ્રાથમિકતા રહી છે અને એટલે જ આ દિશામાં ઉઠાવવામાં આવેલ પગલા પર કોઇ બિન જરૂરી વિવાદ ઉભો ન થાય.
કરુણાકર કમિટીનો રિપોર્ટ પહેલેથી જ ઉપલબ્ધ
હકીકતમાં છેલ્લાં ત્રણ દશકથી જનસંખ્યા નિયંત્રણ માટે કયા કયા પ્રભાવી પગલાં ઉઠાવી શકાય છે તેના પર ચર્ચા ચાલુ છે. 1991માં સીનિયર કોંગ્રેસ નેતા કે. કરુણાકરણના નેતૃત્ત્વ ધરાવતી કમિટીએ જનસંખ્યાનિયંત્રણની દિશામાં જે સૂચનો આપ્યા હતા, જેમાં જનપ્રતિનિધિઓ માટે આ શરત અનિવાર્યરૂપથી લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું કે તેમના બેથી વધારે બાળકો ન હોવા જોઈએ. જો કે છૂટક છૂટકમાં કેટલાંક રાજ્યોએ પંચાયત સ્તર પર તેની કોશિશ જરૂર કરી હતી. આ રિપોર્ટના ઈનપુટ લેતા મોદી સરકારે પણ કાયદા મંત્રાલયને આ દિશામાં બહેતર કાયદાનો વિકલ્પ શોધવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે કાયદાનો પ્રસ્તાવ સામે આવતાની પહેલા જ વિપક્ષ આ વખતે સંપૂર્ણ તૈયારી કરી લેવા માંગે છે.
ગત હારથી વિપક્ષ લેશે બોધપાઠ
નોંધનીય છે કે, મોદી-શાહની રાજનીતિમાં વિપક્ષને ઘણા મુદ્દા પર પછડાટનો સામનો કરવો પડ્યો છે. સાથે જ કેટલીક વખત મોદી સરકાર આશ્ચર્યજનક રીતે નિર્ણય લે છે કે વિપક્ષને તૈયારીનો અવસર જ પ્રાપ્ત થતો નથી. ભાજપે કલમ 370 બિલ પસાર કરીને વિપક્ષને ખરાબ રીતે સ્ટંપ કર્યા કે વિચારવાની તક જ પ્રાપ્ત થઇ નહીં.
આપણે અશિક્ષિત પરિવાર વિશે નથી વિચારી શકતા
આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટના રોજ આપેલ ભાષણમાં જનસંખ્યા વિસ્ફોટને શિક્ષણ અને રોજગારી સાથે પણ જોડ્યું. વસ્તીને શિક્ષિત અને સ્વસ્થ રાખવી જરૂરી છે. આપણે અશિક્ષિત સમાજ માટે નથી વિચારી શકતા. તેવામાં પરિવાર નાનો હશે તો આ વસ્તુ સરળ થશે. જેમનો નાનો પરિવાર છે તેમનાથી શિખવાની જરૂર છે.