દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ વીકે સક્સેની વચ્ચેની તકરાર અટકવાનું નામ નથી લેતી. બન્ને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યાં છે.
દિલ્હી સીએમ અને ઉપરાજ્યપાલ વચ્ચેની તકરાર વધી
અરવિંદ કેજરીવાલે વીકે સક્સેના પર કર્યો મોટો કટાક્ષ
કહ્યું- ઉપરાજ્યપાલ મને જેટલું વઢે છે તેટલું તો પત્ની પણ નથી વઢતી
મારી પત્નીએ જેટલા લવલેટર નથી લખ્યા તેટલા તો ઉપરાજ્યપાલે લખી નાખ્યાં
દિલ્હીની કેજરીવાલ સરકાર અને ત્યાંના ઉપરાજ્યપાલ વીકે સક્સેના વચ્ચે અનેક મુદ્દે તકરાર ચાલી રહી છે અને બન્ને સમય આવ્યે એકબીજા પર આરોપ- પ્રત્યારોપ કરવાનું ચૂકતા નથી. હવે સીએમ કેજરીવાલે ઉપરાજ્યપાલ પર એક મોટો કટાક્ષ કર્યો છે.
પત્નીએ નથી લખ્યાં તેટલા લવલેટર તો એલજી સાહેબે લખી નાખ્યાં-કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું, "ઉપરાજ્યપાલ સાહેબ મને એટલો જ ઠપકો આપે છે તેટલો ઠપકો તો મારી પત્ની પણ નથી આપતી. તેમણે કહ્યું કે છેલ્લા છ મહિનામાં એલજી સાહેબ મને જેટલા લવલેટર લખ્યાં છે તેટલા તો મારી પત્નીએ પણ લખ્યાં નથી. તેમણે લખ્યું કે એલજી સાહેબ, જરાક શાંત થાઓ. અને તમારા સુપર બોસ સાથે પણ વાત કરો, થોડા હળવા પડો.
LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं।
पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे।
LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें।
ભાજપે કેજરીવાલ પર કર્યો વળતો પ્રહાર
ભાજપે પણ કેજરીવાલના આ ટ્વીટ પર વળતો પ્રહાર કર્યો છે. મનોજ તિવારીએ આ છીછરી ભાષા કહી છે. તેમણે લખ્યું કે છીછરાપણાની આ ભાષા જણાવે છે કે તમારું માનસિક સ્તર શું છે. 7 વર્ષમાં એક પણ વિભાગને સંભાળવામાં આવ્યો નથી, એક પણ ફાઇલ સાઇન નથી, આજ સુધી તમને માત્ર લૂંટ અને જુઠ્ઠાણામાં જ રસ છે, જે હવે આ નીચલા સ્તરે આવી ગયો છે.
ગાંધી જયંતીએ કેજરીવાલ કે કોઈ મંત્રી રાજઘાટ ન જતા ઉપરાજ્યપાલ થયા નારાજ
થોડા દિવસ પહેલા એલજી વીકે સક્સેના તરફથી સીએમ કેજરીવાલને એક પત્ર લખવામાં આવ્યો હતો. એ પત્રમાં કેજરીવાલ કે તેમની સરકારના કોઈ પણ મંત્રી ગાંધી જયંતી નિમિત્તે રાજઘાટ કે વિજય ચોકમાં ગયા ન હોવાની નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. એલજીએ તેને પ્રોટોકોલ તોડવાનું પણ કહ્યું હતું. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ગાંધી જયંતીના અવસર પર મુખ્યમંત્રી કે દિલ્હી સરકારના કોઈ પણ મંત્રી રાજઘાટ પહોંચ્યા ન હતા. લાલબહાદુર શાસ્ત્રીની સમાધિમાં સીએમ કેજરીવાલ કે કોઈ મંત્રી આવ્યા ન હતા. આવા કાર્યક્રમો દિલ્હી સરકાર દ્વારા યોજવામાં આવે છે અને જે આમંત્રણ પત્ર જાય છે તે દિલ્હીના મુખ્યમંત્રીના નામે જાય છે.