કોરોના કાળમાં દિલ્હી સરકારે ગરીબો માટે સૌથી મોટી 4 યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી.
દિલ્હીમાં ગરીબો માટેની ચાર યોજના
સીએમ કેજરીવાલે જાહેર કરી ચાર યોજના
ગરીબોને મળશે 10 કિલો મફત અનાજ
નિરાધાર બાળકોને 25 વર્ષ સુધી પેન્સન, ભણવાનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે
કોરોનાના મૃતકોના પરિવારજનોને 50 હજારની સહાય
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ચાર મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે જણાવ્યું કે દિલ્હી સરકાર રેશનકાર્ડ ધરાવતા કે ન ધરાવતા લોકોને દર મહિને 10 કિલો મફત અનાજ આપશે.
કેજરીવાલની મોટી જાહેરાતો
(1) રેશનકાર્ડ ધરાવતા અથવા તો ન ધરાવતા લોકોને દર મહિને 10 કિલો મફત અનાજ
(2) દિલ્હીના 72 લાખ રેશનકાર્ડ ધારકોને ચાલુ મહિનાથી મફત અનાજ, કેન્દ્ર તરફથી મળશે વધારાનું 5 કિલો મફત અનાજ
(3) જે પરિવારમાં કોઈનું કોરોનાથી મોત થયું હોય તેમને 50,000 ની સહાય તથા દર મહિને 2500 રુપિયાનું પેન્શન
(4) એવા બાળકો કે જેમના માતાપિતાનું મોત થઈ ગયું હોય તેવા બાળકોને 25 વર્ષ સુધી દર મહિને 2500 રુપિયાનું પેન્શન અપાશે. તે ઉપરાંત ભણવાનો તમામ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.
કેજરીવાલે કહ્યું કે સિંગાપુરમાં કોરોનાનો નવો સ્ટ્રેન બાળકોનો શિકાર બનાવી રહ્યો છે તેથી સિંગાપુરથી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની જરુર છે અન્યથા સિંગાપુરનો નવો સ્ટ્રેન ભારતમાં આવીને બાળકોને ભોગ બનાવશે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે સિંગાપુરમાં આવેલા કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે અત્યંત ખતરનાક હોવાનું જણાવાયું છે. ભારતમાં તે ત્રીજી લહેરના સ્વરુપમાં આવી શકે છે.
સીએમ કેજરીવાલે કેન્દ્ર સરકારને કરી આ બે અપીલ
(1) સિંગાપુરની તમામ ફ્લાઈટ તત્કાળ અસરથી બંધ કરવામાં આવ
(2) બાળકોના વેક્સિનેશનના કામને પ્રાથમિકતાથી હાથ પર લેવામાં આવે
કોરોનાનો આ નવો સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો અને તે હવે બાળકોને પણ વધારે પ્રમાણમાં ઝપેટમાં લઈ રહ્યો છે. 38 બાળકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા છે.
સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રી ઓ યે કુંગે જણાવ્યું કે બાળકો કોરોનાના નવા વેરિયન્ટ B.1.617 નો વધારે ભોગ બની રહ્યાં છે.કોરોનાનો આ સ્ટ્રેન અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું પણ જણાવાય છે.
સિંગાપુરે કોરોનાના વધી રહેલા કેસોને પગલે વધારે લોકોના જમાવડા તથા જાહેર ગતિવિધિઓ પર કડક પ્રતિબંધ ફરમાવી દીધો છે. શિક્ષણ મંત્રી લોરેન્સ વોંગે જણાવ્યું કે ફક્ત બે લોકો જ જાહેરમાં ભેગા થઈ શકશે. મોટાભાગે એરપોર્ટ, સ્કૂલ અને હોસ્પિટલોમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી આ નિર્ણય લેવાયો છે.