દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરાહનીય કામગીરી કરી છે. કેજરીવાલે વરીષ્ઠ નાગરિકો માટે રેલવે તિર્થયાત્રા શરૂ કરી છે. જેમાં વડીલોને ફ્રીમાં AC કોચમાં દિલ્હી સરકાર યાત્રા કરાવે છે. 60 વર્ષથી ઉપરના નાગરિકો માટે ફ્રીમાં તીર્થયાત્રા શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પહેલી તીર્થયાત્રાને લીલી ઝંડી આપીને રવાના કરી છે. જેમાં દિલ્હીથી પંજાબ સુધીની યાત્રા કરાવવામાં આવશે. જેની અંદર જલિયાવાલા બાગ, અમૃતસર ગોલ્ડન ટેમ્પલ અને આનમંપુર સાહિબની યાત્રા કરાવવામાં આવશે.
Joy on the faces of elderly devotees who have left for Golden Temple & Wagah Border as part of our govt's Tirth Yatra was such a pleasant experience. Their blessings made my day. Satisfying experience. https://t.co/Yrj0Q7J619
આપને જણાવી દઇએ કે, 20 તારીખે બીજી યાત્રા વૈષ્ણોદેવી દર્શન માટે શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે વડીલો માટે યાત્રીની શરૂઆત કરાવતા યાત્રાએ જનાર લોકો અરવિંદ કેજરીવાલને શ્રવણ સાથે સરખાવી રહ્યા છે.