દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલે પોતાની જાતને આઈસોલેટ કર્યા છે. ગઈકાલથી કેજરીવાલને હળવો તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ છે. અરવિંદ કેજરીવાલ કોરોનાને લઇને ટેસ્ટ કરવામાં આવશે. કેજરીવાલે ગઇકાલ બપોરથી બધી મીટિંગ રદ્દ કરી દીધી હતી અન કોઇની સાથે મુલાકાત પણ કરી નહોતીં.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના જ ઘરમાં જ આઈસોલેટ થયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આઈસોલેટ થયાં
ગઈકાલથી હળવો તાવ અને ગળામાં દુખાવાની હતી ફરિયાદ
CM અરવિંદ કેજરીવાલ કરાવશે કોરોનાનો ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે હાલમાં જ એક મોટો નિર્ણય લીધો હતો. જેમાં દિલ્હીમાં સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ફક્ત દિલ્હીના રહેવાસીઓની સારવાર થશે. દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં દરેક વ્યક્તિની સારવાર થઈ શકશે. કોરોનાના વધતા કેસને લઈને દિલ્હીની કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે આ અંગેની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જૂનના અંત સુધીમાં કોરોનાના 15 હજાર દર્દીઓ માટે પલંગની જરૂર પડશે. નિષ્ણાત સમિતિના અહેવાલના આધારે સરકારે નિર્ણય લીધો છે કે માત્ર દિલ્હીના લોકોની સારવાર દિલ્હી સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે.