— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 3, 2022
4 જુલાઈના રોજ વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજશે
જ્યારે 4 જુલાઈના રોજ સવારના 11 વાગ્યે વીજળીના મુદ્દે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજશે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે. તમને જણાવી દઇએ કે, સતત બીજા મહિને અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક શ્રી @ArvindKejriwal ની ઉપસ્થિતીમાં @AAPGujarat દ્વારા નવનિયુક્ત તમામ 6000થી વધુ પદાધિકારીઓના શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. - @isudan_gadhvi
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, 'ગુજરાતના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે આજે ગુજરાત આવી રહ્યાં છે. જેમાં હાલમાં 6000થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલાં 1500 લોકોનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં નવનિયુક્ત પદાધિકારીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારોને શપથ લેવડાવશે. આવનારી ચૂંટણીમાં પક્ષને મજબૂત સ્થિતિમાં મૂકવો જોઈએ અને પોતાના પદની તમામ જવાબદારીઓ નિભાવવી જોઈએ. આ તમામ બાબતો માટે શપથ લેવડાવવામાં આવશે.'
વીજળી મુદ્દે પણ અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ કરશે
વધુમાં જણાવ્યું કે, 'આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે. જેમાં અમારો મુદ્દો છે કે જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે તો ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી? વીજળી મુદ્દે પણ અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ કરશે. બીજા દિવસે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ ખાતે પણ ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે તેઓ ચર્ચા કરશે. આ સાથે ગુજરાતને લગતી જે કંઇ પણ મહત્વની સમસ્યા છે તે પછી આદિવાસી સમાજની સમસ્યા હોય કે પછી ખેડૂતોની સમસ્યા હોય કે પછી ગરીબ લોકોની સમસ્યા હોય. તમામ સમસ્યાઓ પર અરવિંદ કેજરીવાલ મહત્વની ચર્ચા કરશે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.'