દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોને મળવા સિંઘુ બોર્ડર પહોંચ્યા છે. અહીં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચાર સાહિબજાદે અને માતા ગુજરીજીની શહાદતને યાદ કરતા સિંઘુ બોર્ડર પર દિલ્હી સરકારની પંજાબ એકેડમી દ્વારા આયોજિત કીર્તન દરબારમાં સામેલ થયા.
આતંકવાદી-દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છેઃ કેજરીવાલ
કૃષિ કાયદાને લઇને ખેડૂત અને સરકાર વચ્ચે વિવાદ હજુ યથાવત છે. ખેડૂતો કડકડતી ઠંડીમાં રોડ પર આંદોલન કરી રહ્યા છે. આંદોલનનો આજે 32મો દિવસ છે. આ વિવાદ વચ્ચે એક સારા સમાચાર પણ આવ્યા છે. ખેડૂતોએ સરકાર તરફથી આવેલા વાતચીતના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. પરંતુ સાથે જ તેમણે શરતો પણ રાખી છે. આ વચ્ચે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિંઘુ બોર્ડર પહોંચ્યા છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિંઘુ બોર્ડર પર બનેલા ગુરૂ તેગ બહાદૂર મેમોરિયલમાં શહીદી દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત થનારા કિર્તન પાઠમાં ભાગ લીધો. આ પહેલા પણ કેજરીવાલ ગુરૂ તેગ બહાદુર મેમોરિયલ જઇ ચૂક્યા છે જ્યાં દિલ્હી સરકારે આંદોલન કારી ખેડૂતો માટે ખાવા, પાણી અને ટૉયલેટની વ્યવસ્થા થયેલી છે.
સિંઘુ બોર્ડર પર પહોંચીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દેશના ખેડૂતો દુઃખી છે, કડકડતી ઠંડીમાં ખેડૂત ભાઇ, માતાઓ, બાળકો 32 દિવસથી ખુલ્લા આકાશની નીચે ઉંઘવા માટે મજબૂર છે. 40થી વધુ ખેડૂતોની શહીદી થઇ ચૂકી છે. હું હાથ જોડીને કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે આમની માંગો પૂરી કરી ત્રણેય કાયદાઓને પરત લઇ લો. હવે કેટલી શહાદત જોઇએ... કેજરીવાલે કહ્યું, આંદોલનકારી ખેડૂતોને આતંકવાદી-દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે
चार साहिबज़ादे व माता गुजरी जी की शहादत को याद करते हुए सिंघु बॉर्डर पर दिल्ली सरकार की पंजाब एकेडमी द्वारा आयोजित कीर्तन दरबार में शामिल हुए मुख्यमंत्री @ArvindKejriwal | LIVE https://t.co/H8Jc3UNMab
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, અન્ના આંદોલનમાં અમને બદનામ કરતા હતા, એવી જ રીતે આજે ખેડૂતોને રાષ્ટ્રદ્રોહી કહી રહ્યા છે. 70 વર્ષથી ખેડૂતોને તમામે દગો આપ્યો. ખેડૂતોએ માત્ર દગો જોયો છે. ત્રણેય કાયદાથી ખેડૂતોની ખેતી છીનનવા ઇચ્છે છે અને મૂડીવાદીઓને આપવા માંગે છે. જો ખેડૂતોની ખેતી ચાલી જશે તો ખેડૂતો ક્યાં જશે. ખેડૂત પોતાના ખેતર બચાવવા માટે અહીં બેઠા છે.