દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધરણાં પૂર્ણ થયા છે. કેજરીવાલ 9 દિવસથી ઉપરાજ્યપાલની ઓફિસમાં ધરણાં પર ઉતર્યા હતા. ઘણા દિવસથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે.
કેજરીવાલના ધરણાંને કારણે દેશભરના વિપક્ષોએ તેમને સમર્થન આપ્યું હતું. ત્યારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ટકોર કરી હતી. ચાર રાજ્યના મુખ્યમંત્રીએ આ ધરણાંની વાતને પ્રધાનમંત્રી સુધી નીતિ આયોગની બેઠકમાં કરી હતી.
#Delhi Chief Minister Arvind Kejriwal ends his strike at Lieutenant Governor's house called against alleged strike of IAS officers in #Delhipic.twitter.com/kK5BsgeciK
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રાજકીય નાટકનો અંત આવતા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ધરણા પૂર્ણ કર્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ સાથે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનિષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન આઈએએસ અધિકારીઓની કથિત હડતાળ મામલે ધરણા કરી રહ્યાં હતા. ધરણા દરમ્યાન સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયાની તબિયત લથડી હતી. જેથી તેમને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા.
Delhi LG wrote to CM Arvind Kejriwal & requested CM to urgently meet the officers in the Secretariat so that apprehensions and concerns of both sides can be suitably addressed through dialogue in the best interest of the people of Delhi: Raj Niwas press release
આપને જણાવી દઇએ કે આ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા દ્વારા અધિકારીઓની પ્રતિક્રિયા અંગે જણાવ્યું હતું કે એલટી ગવર્નર અનિલ બૈજાલે આ મુદ્દે એક બેઠક બોલાવી જોઈએ. સિસોદિયાએ એલટી ગવર્નરને પત્ર લખ્યો હતો. જો કે લેફ્ટનન્ટે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. અગાઉ રવિવારે સાંજે અરવિંદ કેજરીવાલે અધિકારીઓને તેમના સ્તરે તેમની સલામતી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.