કેજરીવાલે કહ્યું હું આખી આખી રાત જાગીને ઑક્સીજનની વ્યવસ્થા કરી રહ્યો હતો. લોકોને ઑક્સીજન અપાવવા માટે મેં કાકલૂદી કરી.
ઑક્સીજન રિપોર્ટ વિવાદ મુદ્દે કેજરીવાલનો જવાબ
કેજરીવાલે ટ્વિટર પર આપ્યો ભાવુક જવાબ
ભાજપે લગાવ્યા છે ગંભીર આરોપ
બીજી લહેરમાં ઑક્સીજનની અછત જાણી જોઈને ઊભી કરાઇ!
દેશ આખો કોરોના વાયરસની લહેર સામે લડી રહ્યો છે. માર્ચથી મે મહિના સુધી કોરોનાની બીજી લહેરે જે તાંડવ દેશમાં મચાવ્યો તે યાદ કરીને દરેક ભારતીયનું કાળજું પણ કંપી ઉઠે તેવી સ્થિતિ હતી ત્યારે બીજી લહેરમાં ઑક્સીજનની કમીને લઈને જે અફરાતફરી મચી હતી તેના મુદ્દે એક રિપોર્ટ બાદ દિલ્હીમાં હલચલ ખૂબ વધી ગઈ છે.
શું છે આખો વિવાદ?
ભાજપ દ્વારા ઑક્સીજનની ઓડિટ રિપોર્ટ મુદ્દે કેજરીવાલ સરકાર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આરોપ છે કે કેજરીવાલ સરકાર દ્વારા જાણી જોઈને જરૂર કરતાં વધારે ઑક્સીજનની માંગ કરવામાં આવી જેના કારણે અન્ય રાજ્યોમાં ઑક્સીજનની અછત ઊભી થઈ અને દેશમાં ઑક્સીજનની કમી ઊભી કરવામાં આવી.
કેજરીવાલનો ભાવુક જવાબ
આ સમગ્ર મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી સામે આવ્યા છે, કેજરીવાલે ભાવુક પોસ્ટ કરીને કહ્યું છે કે મારો ગુનો બસ એટલો જ છે કે હું બે કરોડ લોકોના શ્વાસ માટે લડ્યો. જ્યારે તમે ચૂંટણીની રેલીઓ કરી રહ્યા હતા. હું આખી આખી રાત જાગીને ઑક્સીજનની વ્યવસ્થા કરી રહ્યો હતો. લોકોને ઑક્સીજન અપાવવા માટે મેં કાકલૂદી કરી. ઑક્સીજનની કમીના કારણે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. તેમને તો જુઠ્ઠા ન કહેશો, તેમને ખોટું લાગી રહ્યું છે.
मेरा गुनाह-मैं अपने 2 करोड़ लोगों की साँसों के लिए लड़ा
जब आप चुनावी रैली कर रहे थे, मैं रात भर जग कर Oxygen का इंतज़ाम कर रहा था। लोगों को ऑक्सिजन दिलाने के लिए मैं लड़ा, गिड़गिड़ाया
लोगों ने ऑक्सिजन की कमी से अपनों को खोया है। उन्हें झूठा मत कहिए, उन्हें बहुत बुरा लग रहा है
ઓક્સિજન પર હવે આપના ભાજપ પર આરોપ
સુપ્રીમ કોર્ટની એક પેનલની રિપોર્ટને લઈને ભાજપ સરકાર અને દિલ્હી સરકાર ફરી આમને સામને આવી ગઈ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દિલ્હીમાં કોરોના પિક પર હતો, ત્યારે કેજરીવાલ સરકારે જરૂરતથી વધુ એટલે કે 4 ગણો ઑક્સીજન માંગ્યો હતો. તેના કારણે બાર રાજ્યોમાં ઑક્સીજન સપ્લાય પર મોટી અસર થઈ હતી.
દિલ્હી સરકારે 4 ગણો વધુ ઓક્સિજન વધુ માંગ્યો
આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોનફેરેન્સ કરી. તેમણે કહ્યું કે કેજરીવાલમાં જુઠ્ઠું બોલવાના કારણે 12 રાજ્યોને અસર થઈ. તેના 20-25 મિનિટ બાદ જ દિલ્હીના DY CM મનીષ સિસોદિયાએ કહ્યું કે આવો કોઈ રિપોર્ટ જ નહીં. આ રિપોર્ટ ભાજપના હેડક્વાર્ટરમાં બનાવ્યો હોય તેવું લાગે છે. સંબિત પાત્રાએ કહ્યું કે "દિલ્હીમાં ઑક્સીજનને લઈને પણ રાજનીતિ થઈ છે, તેના પર અમે એક રિપોર્ટ પણ આવ્યો છે. બીજી લહેરમાં દિલ્હીમાં હાહાકાર મચેલો હતો. પણ કેજરીવાલે તેના પર રાજનીતિ કરી છે, તે આજે ઉઘાડું પડ્યું છે. ઑકિસજન પર પણ કોઈ રાજનીતિ કરી શકે છે કે કેમ? પણ કેજરીવાલે આ નાની રાજનીતિ કરી.
મનીષ સિસોદિયાનો આ રિપોર્ટ પર વિશ્વાસ કરવાનો ઇનકાર
દિલ્હી સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે જેટલી ડિમાન્ડ હતી તેટલો ઑક્સીજન કેન્દ્ર સરકારે સપ્લાય કર્યો જ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલ એક પેનલના રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે કેજરીવાલ સરકારે પોતાની જરૂરતથી વધારે 4 ગણો વધુ ઑક્સીજન માંગ્યો હતો. જેના લીધે દેશના 12 રાજ્યોને ઘણી અસર થઈ હતી. તેના 20-25 મિનિટ બાદ જ દિલ્હીના DY CM મનીષ સિસોદિયાએ કહ્યું કે આવો કોઈ રિપોર્ટ જ નહીં. આ રિપોર્ટ ભાજપના હેડક્વાર્ટરમાં બનાવ્યો હોય તેવું લાગે છે. ભાજપ ખોટું બોલી રહી છે. આવો રિપોર્ટ આવ્યો ક્યાંથી? હું સામે ચાલીને કહું છું કે ભાજપ આવો કોઈ રિપોર્ટ લાવે.