દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રજોકરીની કન્યા વિદ્યાલયમાંથી દિલ્હીની 240 સરકારી સ્કૂલોમાં લગભગ 12,430 નવા સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ધાટન કર્યું હતું.
કેજરીવાલે દિલ્હીમાં બનાવી સ્માર્ટ શાળાઓ
12 હજારથી વધારે નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યા
આતંકી કહેવા પર રિએક્શન આપ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રજોકરીની કન્યા વિદ્યાલયમાંથી દિલ્હીની 240 સરકારી સ્કૂલોમાં લગભગ 12,430 નવા સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાની જાત પર લાગેલા આતંકીવાળા આરોપને લઈને વિરોધીઓને પણ બરાબરનો જવાબ આપ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, જેને લોકો આતંકવાદી કહી રહ્યા છે, તેણે દેશને 12 હજારથી વધારે આધુનિક સ્માર્ટ ક્લાસ આપ્યા છે. આ અવસરે શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા અને ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈન પણ હાજર રહ્યા હતા.
આતંકી કહેવા પર રિએક્શન આપ્યું
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી કેટલાય મોટા નેતા કેજરીવાલને આતંકવાદી કહી રહ્યા છે, જેનાથી મને હસવું આવે છે. જે વ્યક્તિને તેઓ આતંકવાદી કહી રહ્યા છે, તે દેશને 12,430 ક્લાસ આપવાનું કામ કરી રહ્યા છે.
સ્માર્ટ સ્કૂલથી નેતાઓને લાગે છે ડર
કેજરીવાલે કહ્યું કે, નેતાઓને સ્કૂલો ઉપરાંત કોઈ પણ વસ્તુઓથી ડર નથી લાગતો. સારી શાળાઓ બનશે, તો નેતાઓને જાતિ અને ધર્મના નામ પર વોટ નહીં મળે.
For the past few days, many big leaders of the country have been saying that Kejriwal is a terrorist, which made me laugh. The person, whom they are calling a terrorist, is today dedicating 12,430 classrooms to the nation: Delhi CM Arvind Kejriwal https://t.co/2J7UbeNtUfpic.twitter.com/eOg3ZDJOva
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, બાબા સાહેબ ડો. બીઆર આંબેડકરનું સપનું હતું કે, દરેક વિદ્યાર્થીને સારામાં સારુ શિક્ષણ મળે. દુર્ભાગ્યથી આઝાદીના 75 વર્ષ બાદ પણ તેમનું સપનું રાજ્યોમાં સાકાર થઈ શક્યુ નહીં. પણ મને ખુશી છે કે, તેમના સપનાને કમ સે કમ દિલ્હીમાં સાચુ થવા લાગ્યું છે. અમે સાત વર્ષમાં જે કરી બતાવ્યું છે, જે છેલ્લા 75 વર્ષોમાં પુરી થઈ શક્યુ નહોતું.
BJP-Congress केजरीवाल को "आतंकवादी" बता रही है,
दिल्ली की जनता उसे स्कूल बनाने वाला "क्रांतिकारी" बता रही है!
આપને જણાવી દઈએ કે, કેજરીવાલ તરફથી 12430 નવા સ્માર્ટ ક્લાસરૂમના ઉદ્ધાટનની સાથે તેમની સંખ્યામાં વધારો થઈ ગયો છે. તેને મળીને દિલ્હીમાં ક્લાસરૂમની સંખ્યા 20 હજાર સુધી પહોંચી ગઈ છે. જે 537 નવી શાળાઓની બિલ્ડીંગમાં શરૂ થશે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, લગભગ 250 નવી સ્કૂલો બનીને તૈયાર થઈ રહી છે. કેટલાય રૂમ એવા છે, જ્યાં ડિજીટલ બોર્ડ છે, જેવા તો મોટી મોટી પ્રાઈવેટ સ્કૂલોમાં પણ નહીં હોય.