અરવિંદ કેજરીવાલે ફરી એક વાર દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. મંગળવારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક યોજનાની જાહેરાત કરી. જેમાં તેમણે પાણીનાં બાકી રહેલાં તમામ બીલ માફ કરી દીધાં છે. આ યોજનાનો લાભ તેઓને મળશે કે જેમનાં ઘરોમાં કાર્યાત્મક મીટર છે.
જે ગ્રાહકોએ 30 નવેમ્બર પહેલાં મીટર લગાવ્યાં છે તેમને જ આ યોજનાનો લાભ મળશે. જે ગ્રાહકોનાં ઘરમાં કાર્યાત્મક મીટર છે તેવાં ગ્રાહકોની મોડી ફી પણ માફ કરવામાં આવશે. આ યોજના હેઠળ દિલ્હીમાં 31 માર્ચ સુધી દિલ્હીમાં ઇ, એફ, જી, એચ કેટેગરીનાં લોકોનાં 100% બિલ માફ (free bill) કરવામાં આવશે. એ, બી કેટેગરીનું 25% બિલ માફ કરવામાં આવશે. સી કેટેગરીનું 50% બિલ માફ કરવામાં આવશે. ઇ, એફ, જી, એચ કેટેગરી હેઠળ સાડા દસ લાખ લોકોને આનો લાભ મળશે.
અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે આ યોજનાથી સરકારને 600 કરોડની કમાણી થશે. આનાંથી અમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. દિલ્હીનાં તમામ પાણીનાં ગ્રાહકોને હું પત્ર લખીશ. કેજરીવાલે કહ્યું કે ગ્રાહકો તેમની પસંદનાં મીટર લગાવી શકે છે. આ માહિતી નજીકનાં વોટર બોર્ડમાં આપવાની રહેશે. મીટર સ્થાપિત કરવા માટે ડોર સ્ટેપ ડિલિવરીની સહાય પણ લઈ શકાય છે. દિલ્હીમાં 13 લાખ લોકો બાકી છે. હવે તેનો સીધો જ લાભ તેમને મળશે.
Delhi CM Arvind Kejriwal: This is an open invite to the people of Delhi to join the mainstream& install water meters. Only those consumers who have installed meters before 30 November will get the benefit of this scheme https://t.co/EgbzUQiVOC
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 2015માં જ્યારે તેમણે દિલ્હીનો હવાલો સંભાળ્યો ત્યારે પાણીનાં ક્ષેત્રની ખરાબ સ્થિતિ હતી. 2015 પહેલાં પાણીનાં બીલ આવતા પરંતુ પાણી ન હોતું આવતું. અમે છેલ્લાં 5 વર્ષમાં ઘણાં ક્ષેત્રોમાં સુધારાઓ કર્યા છે. કેટલાંક મુદ્દાઓ સામેથી આવ્યાં છે. પાણીનું માળખું બદલાયું છે. 58% વસાહતોમાં પાઇપલાઇનો હતી અને બાકીની વસાહતોમાં ટેન્કરથી પાણી વહન થયું હતું. આજે 5 વર્ષમાં 93% વસાહતોએ પાઇપલાઇન બિછાવી દીધી છે, બાકીનાં 7% વસાહતોમાં કાનૂની અડચણોને કારણે કામ અટકી ગયું છે. ઘણા બંધ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ફરી શરૂ કરાયા છે.
Delhi CM Arvind Kejriwal: Today we are announcing a scheme to waive arrears to clean up Delhi Jal Board's books. Some of these arrears are due to consumers but some are also due to incorrect billing. pic.twitter.com/M2g38idfxl
દિલ્હીનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં પાણીની તંગી છે, દિલ્હીને 1200 MGD પાણીની જરૂરિયાત છે. 2015થી અત્યાર સુધી 125 MGD પાણીનાં ઉત્પાદનમાં અમારી સરકારે વધારો કર્યો છે. અગાઉ ફક્ત 820 MGDનું ઉત્પાદન થયું હતું. અમે મુનક કેનાલનો કેસ જીત્યો જેણે દ્વારકા બવાનાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કર્યો. અમારી સરકારે પાણીની ચોરીને અંકુશમાં લીધી છે, ટેન્કર માફિયાઓ હવે અલગ થઈ ગઈ છે. રાજકીય સંરક્ષણનાં કારણે ટેન્કર માફિયા ચાલતા હતાં. વર્તમાન સરકારનાં ધારાસભ્યનાં કોઈ જ ટેન્કર નથી ચાલતા.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે દિલ્હીને 24 કલાક પાણી આપવા માંગીએ છીએ. વિદેશમાં 24 કલાક, RO વગર નળ પર શુદ્ધ પાણી મળે છે. એવું જ અમે દિલ્હીમાં પણ ઇચ્છીએ છીએ. આગામી 5 વર્ષમાં સ્વચ્છ, સારા દબાણમાં, અમે આરઓ વિના 24 કલાક પાણી આપી શકશું. આવતા 5 વર્ષમાં પાણીનું ઉત્પાદન 30થી 40% વધશે. આજે વીજળીની જેમ દિલ્હીમાં પણ સૌથી સસ્તુ પાણી મળે છે.