JNUમાં વામપંથી વિદ્યાર્થીઓ અને ABVPના વિદ્યાર્થીઓની વચ્ચે મારપીટ થઈ છે.
ABVPની બેઠક દરમિયાન થઈ મારપીટ
ઘાયલ વિદ્યાર્થીઓને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા
મહિલા અને દિવ્યાંગો પર હુમલો
જેએનયુના ABVP યૂનિટે દાવો કર્યો છે કે રવિવારે મોડી રાતે આ મારપીટમાં તેમના અનેક કાર્યકર્તા ખરાબ રીતે ઘાયલ થયા છે. ત્યારે જેએનયૂ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ અને સ્ટૂડેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાની નેતા આઈશી ઘોષે હુમલા માટે એબીવીપી પર આરોપ લગાવ્યો છે.
ABVPની બેઠક દરમિયાન થઈ મારપીટ
ABVPના જણાવ્યાનુંસાર જેએનયુના સ્ટુડેન્ટ એક્ટિવિટી રુમમાં તેમની બેઠક થઈ રહી હતી. જેના વિરોધમાં રવિવારે રાતે 9. 45 મિનિટ પર લેફ્ટના વિદ્યાર્થીઓ પહોંચી ગયા અને ABVPની મીટિંગનો વિરોધ કર્યા બાદ લેફ્ટના વિદ્યાર્થીઓને મારપીટ કરી.
ઘાયલ વિદ્યાર્થીઓને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા
ABVP દ્વારા જારી નિવેદન મુજબ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ABVPના અનેક વિદ્યાર્થી ખરાબ રીતે ઘાયલ થયા છે. જેમાં વિદ્યાર્થીઓ સામેલ છે અને ગંભીર રુપથી ઘાયલ વિદ્યાર્થીઓની એમ્સમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
ABVP'S GOONS UNLEASHED VIOLENCE IN JNU TODAY.
Time and again these criminals have unleashed violence on students and have disrupted campus democracy.
Will the JNU Administration still be silent ? Will no actions be taken on the goons ?
ABVPના જણાવ્યાનુંસાર વામપંથી વિદ્યાર્થીએ મહિલાઓ અને દિવ્યાંગો પર પણ હુમલો કર્યો. જેએનયુમાં ભણનારા ABVP સાથે જોડાયેલી શ્રીદેવીના ગળા પર વામપંથી વિદ્યાર્થીોએ માર્યુ, તો દિવ્યાંગ વિદ્યાર્થી અંકિતની પણ મારપીટ કરી. વામપંથી વિદ્યાર્થીમાં કન્હૈયા અને અભિષેક નામના વિદ્યાર્થી ગંભીર રુપથી ઘાયલ થયા છે અને બન્નેને ફેક્ચર થયા છે.
આઈશી ઘોષે ABVP પર લગાવ્યો હુમલાનો આરોપ
ઘટના બાદ સ્ટૂડેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેતા અને જેએનયૂના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ આઈશી ઘોષે નિવેદન જારી કરી કહ્યુ ABVPના ગુંડાઓએ જેએનયૂમાં આજે હિંસા ફેલાવી. વારંવાર આ ગુનેગારોએ વિદ્યાર્થીઓ પર હિંસા કરી અને કેમ્પસ લોકતંત્રને બાધિત કર્યા છે. શું જેએનયૂ પ્રશાસન હજું પણ ચૂપ રહેશે. શું ગુંડા પર કોઈ કાર્યવાહી નહી થાય. આની સાથે તેમણે હુમલામાં ઘાયલ વિદ્યાર્થીઓને તસવીર શેર કરી.