નવી દિલ્હી: દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટના મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી ગઇ છે. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. મારપીટ અને ગેરવર્તણૂંકના આ કેસમાં 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને 11 ધારાસભ્યોના નામ છે.
દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ નંબર 16માં આ મામલામાં સીલ કવરમાં 1533 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. સૂત્રો પ્રામણે આ કેસમાં કેજરીવાલ સરકારના તત્કાલીન એડવાઇઝર વીકે જૈનને મુખ્ય સબૂત બનાવવામાં આવ્યા છે. જણાવી દઇએ કે એમના નિવેદન પ્રમામે જ્યારે અંશુ પ્રકાશની મારપીટ શરૂ થઇ હતી ત્યારે એમના ચશ્મા જમીન પર પડી ગયા હતા.
અડધી રાતે સીએમના ઘરે બોલાવીને મારપીટના મામલાની તપાસમાં સીસીટીવી કેમેરના પણ ખૂબ પાછળથી મળી આવ્યા હતા. જણાવી દઇએ કે આ પૂરો મામલો 19 ફેબ્રુઆરીનો છે જ્યારે સીએમ ઘર પર અડધી રાતે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની સાથે કથિત મારપીટ અને ગેરવર્તણૂંક કર્યું હતું.
આ માલે બે દિવસ બાદ સિવિલ લાઇન્સ પોલિસે વીકે જેન સાથે પૂછપરછ કરી હતી. શરૂઆતમાં તેો કંઇ પણ સ્પષ્ટ કહી રહ્યા નહતા પરંતુ બાદમાં મેજિસ્ટ્રેટની સામે બંધ રૂમમાં પૂછપરછ બાદ પૂરી ઘટના સામે આવી.