કેજરીવાલે કહ્યું કે હું પીએમના આશીર્વાદ ઈચ્છુ છું. ચુંટણી દરમિયાન જે કંઈ શબ્દ પ્રહારો થયા એ ભૂલી જાવ. અમે કેન્દ્ર સાથે જોડાઈને કામ કરીશું. કેજરીવાલે કહ્યું,‘તમે કોઈ પણ પાર્ટી કે ધર્મના હોવ કામ હોય તો મારી પાસે આવજો.’ તેમણે વધુંમાં કહ્યું હતું કે દિલ્હીમાં નવા રાજકારણની શરુઆત થઈ છે. દિલ્હીના વિકાસ માટે પ્રધાનમંત્રીના આશીર્વાદ ઈચ્છું છું. હું સૌની સાથે મળીને કામ કરવા માંગું છું.
કેજરીવાલ સાથે આ મંત્રીઓએ શપથ લીધા
Gopal Rai, Kailash Gahlot and Imran Hussain take oath as Ministers in Delhi Government pic.twitter.com/T5O6Yyerb7
અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતાં.
બેબી મફલરમેન
'Little Mufflerman', the boy dressed as Arvind Kejriwal whose images went viral on counting day(Feb 11), also present at the oath-taking ceremony. He was officially invited by AAP pic.twitter.com/k8E9Q8Um1M
આપના કાર્યાલય પરિસરમાં પોતાના પિતા સાથે છોટુ કેજરીવાલ પોતાના જૂના ગેટઅપમાં પહોંચી ચૂક્યા છે. એક વર્ષના આવ્યાન તોમરને ખાસ રીતે આમંત્રણ અપાયું છે.
10 ગેરેંટી આપી છે, ગેરેંટીની સાથે કરીશું વાયદો પૂરોઃ સિસોદિયા
Manish Sisodia, AAP: There is nothing wrong if Arvind Kejriwal ji thinks that the same cabinet should be repeated. People are happy with the work of the cabinet and we won the elections on basis of our work. We will continue to build and maintain the confidence of the people. pic.twitter.com/7a1HKGgqI4
મનીષ સિસોદિયાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને લાગે છે કે આ જ કેબિનેટને ફરી રીપિટ કરવામાં આવે તો કંઈ ખોટું નથી. લોકો કેબિનેટના કામથી ખુશ છે. અમે કામના આધારે ચૂંટણી જીતી છે. અમે લોકોનો વિશ્વાસ ટકાવી રાખીશું. અમે જે 10 ગેરેંટી આપી છે તેને પૂરી કરીશું.