ઉપરાજ્યપાલ તરપથી દિલ્હીમાં માત્ર દિલ્હીવાસીઓનો જ ઈલાજ કરવાના નિર્ણયને પલટ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે LG સાહેબના આદેશ બાદ દિલ્હીના લોકોની સમસ્યા વધી જવાની છે. દેશભરથી આવનારા લોકો માટે કોરોના મહામારી દરમ્યાન ઈલાજની વ્યવસ્થા કરવી એક મોટી ચેલેન્જ છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલ (Anil Baijal) તરફથી દિલ્હીમાં માત્ર દિલ્હીવાસીઓનો જ ઈલાજ થશે તેવો કેજરીવાલ સરકારનો આદેશ પલટી દેવાયો છે. આવામાં મુખ્યમંત્રી કેજરીવાલે સામે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલે રિએક્શન આપતા કહ્યું કે દેશભરમાંથી આવનારા લોકો માટે કોરોના મહામારી દરમ્યાન ઈલાજની વ્યવસ્થા કરવી એ એક મોટી ચેલેન્જ છે.
LG साहिब के आदेश ने दिल्ली के लोगों के लिए बहुत बड़ी समस्या और चुनौती पैदा कर दी है
देशभर से आने वाले लोगों के लिए करोना महामारी के दौरान इलाज का इंतज़ाम करना बड़ी चुनौती है।शायद भगवान की मर्ज़ी है कि हम पूरे देश के लोगों की सेवा करें।हम सबके इलाज का इंतज़ाम करने की कोशिश करेंगे
કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે LG સાહેબના આદેશ બાદ દિલ્હીના લોકોની સમસ્યા વધી જવાની છે. દેશભરથી આવનારા લોકોનો દિલ્હીમાં ઈલાજ કરવો એ મોટી ચેલેન્જ છે. કદાચ ભગવાનની મરજી છે કે અમે પૂરા દેશના લોકોની સેવા કરીએ. હવે અમે ઈલાજ માટેની વ્યવસ્થા કરવાની કોશિશ કરીશું.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વધતા કોરોનાના મામલાની વચ્ચે દિલ્હી કેબિનેટે રવિવારે નિર્ણય લીધો હતો કે દિલ્હી સરકારની સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં માત્ર દિલ્હીવાસીઓનો જ ઈલાજ કરશે. જ્યારે કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં તમામ લોકોનો ઈલાજ થશે.