પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના વિવાદિત નિવેદન બાદ હવે ભારતીય રાજકારણમાં ગરમવો જોવા મળ્યો. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું કે, જો ભારતમાં ચૂંટણીમાં ભાજપની જીત થાય અને નરેન્દ્ર મોદી ફરી એક વાર પીએમ બને તો બંને દેશ વચ્ચે સુમેળભર્યા સંબંધોની સંભાવના વધશે. જ્યારે આ નિવેદન પર કેજરીવાલના ટ્વિટથી વિવાદ વકર્યો છે.
આ નિવેદન બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યો અને કહ્યું કે, મોદી દેશને જણાવે કે પાકિસ્તાન સાથે તેમનો કેટલો ગાઢ સંબંધ છે.. પાકિસ્તાન મોદીદીને કેમ આટલો પ્રેમ કરે છે.
જો મોદીજી જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. બીજી તરફ, ઈમરાન ખાને એવું પણ કહ્યું કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો કોંગ્રેસની સરકાર કશ્મીર મુદ્દે નિરાકરણ લાવી શકશે નહીં. ત્યારે ઈમરાનના આ નિવેદન બાદ રાજકીય વાતાવરણમાં જાણે કે ભૂકંપ સર્જાયો છે. તમને જણાવીએ કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, જો ભારતમાં આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ફરી સત્તામાં આવે તો શાંતિ વાર્તામાં વધારો થઈ શકે છે. ઈમરાન ખાને એવું પણ કહ્યું છે કે, જો ભારતમાં આગામી સરકાર કોંગ્રેસની બનશે તો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવામાં પીછે હટ થઈ શકે છે. હવે વિપક્ષે ઈમરાન ખાનના આ નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે.
Pak has officially allied with Modi!
‘A vote for Modi is a vote for Pakistan’, says Pak PM Imran Khan
मोदीजी, पहले नवाज़ शरीफ़ से प्यार और अब ईमरान खान आपका चहेता यार!
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, પાકિસ્તાન ઓફિશિયલી મોદીની સાથે થઈ ગયા છે. મોદીને મત આપવાનો અર્થ છે પાકિસ્તાનને મત આપવો. સુરજેવાલાએ આગળ લખ્યુ છે કે, મોદીજી પહેલાં નવાઝ શરીફને પસંદ કરતા હતા અને હવે ઈમરાન ખાન તમને પસંદ કરે છે. ઢોલની પોલ ખુલી ગઈ છે.