દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા પછી હવે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરના ભડકાઉ નિવેદન સામે આવ્યું છે. જેના પર દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એ રિપોર્ટ મંગાવ્યો છે.
અનુરાગ ઠાકુરના નિવેદન પર દિલ્હી CEO મંગાવ્યો રિપોર્ટ
'દેશના ગદ્દારોને...ગોળી મારો' વિવાદિત નારો લગાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે રિઠાલાના ભાજપના ઉમેદવાર મનીષ ચૌધરીના સમર્થનમાં એક જનસભામાં અનુરાગ ઠાકુરે ચૂંટણી રેલીમાં આવેલા લોકોને 'ગદ્દારોને ગોળી મારનારા' ભડકાઉ નારા લગાવવા માટે ઉશ્કેર્યાં.
રેલીમાં નાણાકીય રાજ્યમંત્રી કહ્યું કે 'દેશના ગદ્દારોને...' જેના પર ભીડે કહ્યું 'ગોળી મારો'. જનસભામાં અનુરાગ ઠાકુરે શાહીન બાગમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શ અને દેશ વિરોધી નારાઓ સાથે વિપક્ષી પાર્ટીઓને જોડી અને ભીડને વિવાદિત નારો લગાવવા કહ્યું.
Delhi CEO has sought a report from the returning officer of Delhi's Rithala constituency over Union Minister and BJP MP Anurag Thakur’s speech at an election rally yesterday. (file pic) pic.twitter.com/lr5a0zWyM9
અનુરાગ ઠાકુરે એટલી જોરથી નારો લગાવવા કહ્યું કે તેનો અવાજ કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ સાંભળી શકે. રિઠાલાના ભાજપના ઉમેદવાર મનીષસિંહને ગિરિરાજસિંહના નજીકના માનવામાં આવે છે. જો કે ભીડને વિવાદીત નારો લગાવાનું કહેવાની સાથે અનુરાગ ઠાકુર વિપક્ષના નિશાના પર આવી ગયા છે. વરિષ્ઠ વકીલ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા પ્રશાંત ભૂષણે કહ્યું કે આવા વ્યક્તિને મંત્રિમંડળમાં નહી પરંતુ જેલમાં હોવું જોઇએ.