દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના વિરોધમાં થયેલા પ્રદર્શનો દરમિયાન હિંસાના મામલામાં આરોપ-પ્રતિ આરોપનો સિલસિલો તેજ થઇ ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હીમાં હિંસા માટે કોંગ્રેસ અને સત્તારુઢ આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવી છે.
બીજેપીએ દિલ્હી હિંસા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જવાબદાર ગણાવી
કોંગ્રેસના નેતા જે.પી. અગ્રવાલે બીજેપી (BJP) નેતા પ્રકાશ જાવડેકર પર પલટવાર કર્યો
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય ઘમાસાણ શરૂ થઇ ચૂક્યું છે
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દિલ્હી જેવા શાંતિપૂર્ણ શહેરમાં જે હિંસા થઇ છે, તેના માટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) જવાબદાર છે. કેમકે આ લોકો ખોટી જાણકારી ફેલાવી રહ્યા છે અને હિંસા પર ચુપ છે. જાવડેકરે કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો હિંસા ફેલાવવાનું કામ કરે છે.
બીજેપીના નેતાએ કહ્યું કે દિલ્હીના જામિયામાં કોંગ્રેસના આસિફ ખાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા પર આરોપ છે, તેઓએ જનતાને ઉશ્કેરી. દિલ્હીના સીલમપુરમાં કોંગ્રેસના મતીન અહમદ અને આમ આદમી પાર્ટીના ઇશરાક ખાન હાજર હતા. જામા મસ્જિદમાં કોંગ્રેસના મહમૂદ પારચા હાજર હતા. આ હિંસાને કારણે થયેલા નુકશાન માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે માફી માંગવી જોઇએ.
Union Minister Prakash Javadekar: In a peaceful city like Delhi, the atmosphere that was created by spreading misinformation on #CitizenshipAmendmentAct, and the damage that was done to property, Congress and AAP are responsible for it.They must apologise to the people. pic.twitter.com/7NTR4OKocK
જ્યારે કોંગ્રેસના નેતા જે.પી. અગ્રવાલે બીજેપી (BJP) નેતા પ્રકાશ જાવડેકર પર પલટવાર કર્યો છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પર આગજંપીનો આરોપ લગાવનાર પહેલા એમ બતાવે કે, બીજેપીના કેટલા નેતાઓ વિરુદ્ધ બળાત્કારના કેસ નોંધાયેલા છે. દિલ્હી હિંસા મામલામાં બીજેપીની પાસે તપાસ કરવાનો અધિકાર છે. ભાજપને તપાસ કરવાથી કોઇ રોકી રહ્યું છે.
બીજેપી પર મોટો પલટવાર કરતા કોંગ્રેસના નેતા અગ્રવાલે કહ્યું કે હવે બીજેપીએ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેવું જોઇએ. દિલ્હીમાં કોલોનિયોને લઇને કેજરીવાલ સરકાર અને બીજેપી રાજનીતી કરી રહ્યા છે. જ્યારે ઇન્દિરા ગાંધીના સમયથી જ કોંગ્રેસ આ મુદ્દા પર કામ કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું આ નિવેદન એ સમયે સામે આવ્યું છે, જ્યારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય ઘમાસાણ શરૂ થઇ ચૂક્યું છે. જોકે, હજુ સુધી દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું એલાન નથી થયું.