ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીની દિલ્હી ભાજપ ચીફના પદેથી હકાલપટ્ટી કરાઇ છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તાને દિલ્હી ભાજપની કમાન સોંપી છે. ત્યારે પદ પરથી હટાવ્યા બાદ મનોજ તિવારીએ જનતા અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા નવા અધ્યક્ષને શુભેચ્છા પાઠવી છે.
મનોજ તિવારીને 2016માં ભાજપની કમાન સોંપવામાં આવી હતી
સોમવારે લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘનને લઇને મનોજ તિવારીની અટકાયત કરાઇ હતી
મનોજ તિવારીએ ટ્વિટ કરી કહ્યું કે બીજેપી પ્રદેશ અધ્યક્ષના રૂપે 3.6 વર્ષના કાર્યકાળમાં જે પ્રેમ અને સહયોગ મળ્યો, તેના માટે તમામ કાર્યકર્તા, પદાધિકારી અને દિલ્હીવાસીઓનો સદા આભારી રહીશ. જાણે-અજાણતા કોઇ ભૂલ થઇ હોય તો માફ કરજો. નવા પ્રદેશ અધ્યક્ષ ભાઇ આદેશ ગુપ્તાને અસંખ્ય શુભેચ્છા.
નોંધનીય છે કે મનોજ તિવારીને 2016માં ભાજપની કમાન સોંપવામાં આવી હતી. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો.
ગઇકાલે મનોજ તિવારીની પોલીસે કરી હતી અટકાયત
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મનોજ તિવારી લૉકડાઉન તોડીને પોતાના સમર્થકો સાથે દિલ્હીના રાજઘાટ પર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. સોમવારે રાજઘાટ પર પ્રદર્શન માટે પહોંચેલા મનોજ તિવારીને પોલીસે અટકાયત કરી હતી. લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન માટે મનોજ તિવારીની અટકાયત કરાઇ હતી.
भाजपा प्रदेश अध्यक्ष @BJP4Delhi के रूप में इस 3.6 साल के कार्यकाल में जो प्यार और सहयोग मिला उसके लिये सभी कार्यकर्ता,पदाधिकारी,व दिल्ली वासियों का सदैव आभारी रहूँगा.. जाने अनजाने कोई त्रुटि हुई हो तो क्षमा करना..
नये प्रदेश अध्यक्ष भाई @adeshguptabjp जी को असंख्य बधाइयाँ 🙏💐 pic.twitter.com/nT8pyDCntt
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં ભાજપને આમ આદમી પાર્ટી (આપ) સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે છત્તીસગઢમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને કોંગ્રેસના જોડાણે કોંગ્રેસને હરાવી હતી.