દિલ્હી: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ કોઈ કસર છોડવા માગતી નથી. ત્યારે આજે પણ ભાજપ દ્વારા દિલ્લીના રામલીલા મેદાનમાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં ભાજપ નમો અગેઈન...નારાને બુલંદ કરશે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલનું પૂતળું પણ મુકવામાં આવ્યું છે.
આ બંને પૂતળાને જૂઠનું પૂતળુ...એવું નામ આપવામાં આવ્યું છે. આ યુવા વિજય સંકલ્પ રેલીમાં મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ ભાજપા યુવા મોર્ચાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરાગ ઠાકર અને વર્તમાન ભાજપ ભાજપા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂનમ મહાજન તથા દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પણ રેલીને સંબોધન કરશે. તો ભાજપે યુવાનોને પાર્ટી સાથે જોડવા માટે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. જેમાં મિસ્ડ કોલ કરીને યુવકો પાર્ટી સાથે જોડાઈ શકશે. તો આ રેલી દરમિયાન ભાજપ પોતાની આગામી રણનિતીની પણ જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે યુવાનોને પાર્ટી સાથે જોડવા માટે 18002001080 ટોલફ્રી નંબરની જાહેરાત કરી છે. આ નંબર પર મિસ્ડ કોલ કરીને કોઇપણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ શકે છે. ભાજપ આ મંચ દ્વારા કેટલાક રાજકીય પ્રસ્તાવ પણ પાસ કરી શકે છે. આ રેલીમાં ભાજપ Namo again ની નારેબાજી પણ કરશે.
ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ આ રેલીના સંદર્ભમાં જાહેર માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસ મંત્રને લઇને આગળ વધી છે. જેના કારણે ખુબ જ સકારાત્મક પરિણામ પણ પ્રાપ્ત થયું છે.