દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે ભાજપના દિલ્હી એકમના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાની એક અરજી પર પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને નોટિસ જાહેર કરીને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. બગ્ગાએ આરોપ લગાવ્યો છે કે, સ્વામીએ પોતાના એક ટ્વિટમાં તેમના વિરુદ્ધ ખોટી ટિપ્પણ કરીને તેમની માનહાની કરી છે. તેથી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે.
સ્વામીએ કર્યું હતું ટ્વિટ
અધિક મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ ધર્મેન્દ્ર સિંહની કોર્ટે જાહેર કરેલા આદેશમાં કહેવાયુ છે કે, અરજીમાં સ્વામી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવા માટે ઘણા આધાર છે. બગ્ગાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે, ગત સપ્ટેમ્બરમાં સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના એક ટ્વિટમાં તેમના વિરુદ્ધ ખોટી વાતો લખી હતી. સ્વામીએ ટ્વિટમાં આરોપ લગાવ્યો હતો કે, ભાજપમાં શામેલ થતાં પહેલા બગ્ગાને નવી દિલ્હીના મંદિર માર્ગના પોલીસ સ્ટેશનમાં કેટલીય વાર જેલમાં મોકલવામાં આવી ચુક્યા છે. પોલીસે તેમને નાના મોટા ગુના માટે કેટલીય વાર પકડ્યા છે. સ્વામીએ આ આરોપ 28 સપ્ટેમ્બર 2021ના રોજ ટ્વિટ કરીને લગાવ્યો હતો.
ઈમેજ બગાડવાની કોશિશ થઈ હોવાનો આરોપ
બગ્ગાએ પોતાની સાક્ષીમાં સ્વામીના આ આરોપને ખોટા સાબિત કર્યા છે અને કહ્યું છે કે, આવી કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે કરવામાં આવ્યું છે. અધિક મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ ધર્મેન્દ્ર સિંહે કહ્યું કે, મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સબ ઈંસ્પેક્ટર સંદીપ કુમારે ફરિયાદ કર્તાના નિવેદનમાં પુષ્ટિ કરી છે અને રિપોર્ટ નોંધાવ્યો છે. કોર્ટે આગળ કહ્યું કે, તેનાથી એ સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે, સ્વામીએ નિવેદનની પુષ્ટિ કર્યા વિના ટ્વિટ કર્યું હતું અને આ ફરિયાદકર્તાની જૂની જીંદગી અને ચરિત્ર વિશે શંકા ઉત્પન્ન કરવા માટે પુરતુ છે.
બગ્ગાએ આપ્યું સ્પષ્ટીકરણ
દિલ્હી ભાજપમાં મીડિયા સંબંધોના પ્રમુખ અને પ્રવક્તા પ્રવણી શંકર કપૂર તથા દિલ્હી ભારતીય જનતા યુવા મોર્ચાના ઉપાધ્યક્ષ શશિ યાદવે કહ્યું કે, ટ્વિટની જાણકારી હોવા પર તેમણે બગ્ગા પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે. બગ્ગાએ પોતાની ફરિયાદમાં એવું પણ કહ્યું છે કે, તેમના વિરુદ્ધ મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પર ન તો કોઈ ફરિયાદ છે અને ન તો કોઈ લેખિત ફરિયાદ નોંધાઈ છે. અને કોઈ પણ કેસમાં મારી ધરપકડ પણ થઈ નથી.