દિલ્હી ભાજપના અધ્યક્ષ અને લોકસભા સાંસદ મનોજ તિવારીના હેલિકૉપ્ટરની ઇણરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી છે. મનોજ તિવારી ચૂંટણી યાત્રા દરમિયાન ઉત્તરાખંડ પ્રવાસે ગયા હતા, જ્યાં તેમને હેલિકૉપ્ટરને આપાતકાલીન સ્થિતિમાં લેન્ડ કરાવું પડ્યું.
દિલ્હી ભાજપના અધ્યક્ષ અને લોકસભા સાંસદ મનોજ તિવારીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. મનોજ તિવારી ચૂંટણી યાત્રા દરમિયાન ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા, જ્યાં એમના હેલિકૉપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. જાણવા મળી રહ્યું છે કે મોસમ ખરાબ હોવાને કારણે મનોજ તિવારીના હેલિકૉપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે.
ઉત્તરાખંડમાં ખરાબ મોસમ અને વાવાઝોડુંના કારણે મનોજ તિવારીના હેલિકૉપ્ટરના પાયલટને દહેરાદૂનમાં લેન્ડિંગનો નિર્ણય લેવો પડ્યો હતો. દિલ્હી ભાજપના અધ્યક્ષ અને લોકસભા સાંસદ મનોજ તિવારી ઉત્તરાખંડમાં ભાજપના સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના 5 સભ્યો લોકસભા સીટો પર પહેલા તબક્કાનું 11 એપ્રિલે વોટિંગ કરાવવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મનોજ તિવારી ઉત્તરાખંડમાં 4 જનસભાઓ કરવાના હતા. પરંતુ ખરાબ સિઝનના કારણે એમને રોકાવવું પડ્યું.
જણાવી દઇએ કે ખરાબ સિઝનના કારણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ચૂંટણી રેલીઓ પ્રભાવિત થઇ છે.