દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને એમના વ્યક્તિગત નંબર પર કોઇએ એસએમએસ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ઉપરાંત ધમાકવનારે મનોજ તિવારીને કહું કે હું મજબૂર છું. દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને એમના વ્યક્તિગત નંબર પર કોઇએ એસએમએસ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ઉપરાંત ધમાકવનારે મનોજ તિવારીને કહું કે હું મજબૂર છું.
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ત્યારબાદ મનોજ તિવારી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મનોજ તિવારીના મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા શખ્સે મેસેજ કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એસએમએસ મોકલનારે લખ્યું છે એ નેતાની હત્યા કરવા માટે મજબૂર છે. તિવારીએ કહ્યું કે એ અજ્ઞાત વ્યક્તિએ જરૂર પડવા પર પ્રધાનમંત્રીની હત્યા કરવાની વાત પણ કહી છે. મનોજ તિવારીનું કહેવું છે કે, મામાલાની ગંભીરતા જોતા તેને હળવાશથી લઈ શકાય નહીં. જેથી પહેલા મે પોલીસને જાણ કરીને મૌખિક સૂચના આપી અને બાદમાં ફરિયાદ દાખલ કરી.
હિંદીમાં મોકલવામાં આવેલા મેસેજમાં એ વાત માટે માફી માંગી છે કે એને ખૂબ જ મજબૂરીમાં તિવારીની હત્યાનો નિર્ણય લેવો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક નેતાઓને ધમકી મળી છે. પીએમ મોદીને પણ તેમની કેરળ યાત્રા પહેલા પણ આ પ્રકારની ધમકી મળી હોવાનું સામે આવ્યું હતુ.