સાઈકલ કંપની એટલસનાં માલિકોમાંથી એક માલિક સંજય કપૂરની પત્ની નતાશા કપૂર(57)ની શંકાસ્પદ મોત નિપજ્યું છે. દિલ્હી પોલીસ હાલમાં આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે અનેક શક્યતાઓ પર તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસને નતાશા કપૂરની સુસાઈડ નોટ મળી
જિંદગીથી ખુશ નહોતી નતાશા, સુસાઈડ નોટમાં કર્યો ઉલ્લેખ
દિવાલ પર લખ્યું હતું મોતનું કારણ
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દિલ્હીનાં ઔરંગજેબ સ્થિત કોઠીમાં નતાશા કપૂરની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસને નતાશાની સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેણે લખ્યું હતું કે,‘તે પોતાની જિંદગીથી ખુશ નથી. ’ અધિકારીઓનું માનવું છે કે તે આર્થિક તંગીનો સામનો કરી રહી હતી. જેનાં કારણે તેણે આત્મહત્યા કરી હોવી જોઈએ. સ્થાનીક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશનું પોસ્ટ મોર્ટમ કરી લાશ પરિવારને સોંપી હતી. પરિવારે બુધવારે નતાશાનો અંતિમ સંસ્કાર કરી લીધો છે. સંજય કપૂર આજ ઘરમાં પરિવાર સાથે રહે છે.
દુપટ્ટો કાપી નતાશાની લાશ નીચે ઉતારી હતી
મંગળવારે બપોરે જ્યારે સંજયની પત્ની નતાશાએ લંચ ન કર્યું ત્યારે પરિવારના સભ્યો તેને શોધવા લાગ્યાં હતાં. સંજય કપૂરનાં દિકરા સિદ્ધાંત કપૂરે ફોન કર્યો હતો નતાશા કપૂરે ફોન નહોતો ઉપાડ્યો. એ બાદ નતાશા કપૂરની લાશ દુપટ્ટોથી પંખે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પરિવારે દુપટ્ટો કાપીને લાશ નીચે ઉત્તારી હતી.
દિવાલ પર લખ્યુ હતું આત્મહત્યાનું કારણ
ફેમિલી ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી હતી. પોલીસે જ્યારે નતાશાનો રુમ તપાસ્યો ત્યારે દિવાલ પર લખ્યું હતું કે,‘જીવનનું છેલ્લું લક્ષ્ય મૃત્યુ છે. આ ઉપરાંત દિવાર પર લખ્યું હતું કે જે લોકો ઈજ્જત નથી આપતા તેમની સાથે ઉભા રહેવાની જગ્યાએ એકલા ઉભા રહેવું વધારે સારું છે.