બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / delhi assembly elections 2020 smriti irani slams cm arvind kejriwal over his tweet

નિવેદન / મતદાનના દિવસે જ કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની બાખડી પડ્યા, જાણો શું સમગ્ર મામલો

Mehul

Last Updated: 03:08 PM, 8 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માટે મતદાન થઇ રહ્યું છે. દિલ્હીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 32 ટકા મતદાન થયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) ,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal), ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia)એ મતદાન કર્યું.

  • દિલ્હીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 32 ટકા મતદાન થયું
  • દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી મનીષ સિસોદિયાએ મતદાન કર્યું
  • મનોજ તિવારીએ ટ્વિટ કરી CM અરવિંદ કેજરીવાલ પર અયોગ્ય ટિપ્પણી કરી

આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન (Harsh Vardhan), વિદેશ મંત્રી એસ. જયશંકર (S.Jaishankar), બીજેપી સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ વર્મા સહિતના ઘણા દિગ્ગજ નેતાઓએ મતદાન કરી ચૂક્યા છે. 

અરવિંદ કેજરીવાલ પોતાના પરિવાર સાથે મતદાન નાંખવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. મતદાનથી પહેલા કરવામાં આવેલા એક ટ્વિટને લઇને મુખ્યમંત્રીની ઘણી ટીકાઓ થઇ રહી છે. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani) એ મુખ્યમંત્રીને 'મહિલા વિરોધી' બતાવ્યા છે.

સ્મૃતિ ઇરાનીએ ટ્વિટ કર્યું, 'શું આપ મહિલાઓને એટલા સક્ષમ નથી સમજતા કે તેઓ સ્વંય નક્કી કરી શકે કે કોને વોટ આપવાનો છે? મહિલા વિરોધી કેજરીવાલ'. ત્યારે કેજરીવાલે કેન્દ્રીય મંત્રીને જવાબ આપતા ટ્વિટ કર્યું, 'સ્મૃતિ જી, દિલ્હીની મહિલાઓએ કોને વોટ આપવાનો છે એ નક્કી કરી લીધું છે અને આખી દિલ્હીમાં આ વખતે પોતાના પરિવારનો વોટ મહિલાઓએ જ નક્કી કર્યો છે. અંતે ઘર તો તેઓને જ ચલાવવાનું હોય છે.' ત્યારબાદ સ્મૃતિ ઇરાનીએ આ ટ્વિટ પર જવાબ આપતા લખ્યું,' જે સલાહ આપ મહિલાઓને આપી રહ્યા છો આજે કેટલા પુરુષોને ટ્વીટ કરીને આવી સલાહ આપી છે'? 

 

સ્મૃતિ ઇરાનીના કટાક્ષ પર અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરતા કહ્યું,' મારો અર્થ હતો કે મહિલાઓ જાણે છે કે ઘર કેવી રીતે ચાલે છે. મેં એમ પણ લખ્યું હતું કે મહિલાઓ ઘરના પુરુષોને વોટ નાંખવા માટે લઇને જાય. તેમની સાથે ચર્ચા કરે.' 

મનોજ તિવારીના મંદિર અશુદ્ધ કરવાના આરોપ પર તેઓએ કહ્યું, 'મારા જુતા એવા છે કે તેઓને હાથ લગાવીને ઉતારવાની જરૂર નથી પડતી. મારા જવાથી મંદિર કેવી રીતે અશુદ્ધ થઇ શકે છે. ભગવાન બીજેપી નેતાઓને સદબુદ્ધિ આપે.' 

 

નોંધનીય છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) એ ટ્વિટ કર્યું હતું, 'મતદાન કરવા જરુર જાઓ. તમામ મહિલાઓને ખાસ અપીલ- જેવી રીતે આપ ઘરની જવાબદારી ઉઠાવો છો, એવી જ રીતે દેશ અને દિલ્હીની જવાબદારી આપના ઉપર છે. આપ તમામ મહિલાઓ વોટ નાંખવા જરુર જજો અને આપના ઘરના પુરુષોને પણ લઇ જજો. પુરુષો સાથે ચર્ચા જરૂર કરજો કે કોને વોટ આપવા યોગ્ય રહેશે.' 

 

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal Delhi Elections 2020 National News Smriti Irani delhi ગુજરાતી ન્યૂઝ Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ