દિલ્હી વિધાનસભાની ચૂંટણીને માટે 8 ફેબ્રુઆરીએ મતદાન સંપન્ન થયું છે. ત્યારબાદ આવેલા એક્ઝિટ પોલમાં આવેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે. ભાજપને માટે એક્ઝિટ પોલ નિરાશાજનક સાબિત થયું છે. આ પછી પાર્ટીના દિગ્ગજ નેતા અમિત શાહે દિલ્હીના તમામ સાંસદોની એક બેઠક બોલાવી.
અમિત શાહે દિલ્હી સાંસદોની બોલાવી બેઠક
બેઠકમાં આ બાબતો પર થશે ચર્ચા
એક્ઝિટ પોલમાં AAPને મળ્યા બહુમત
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મતદાન બાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. એક્ઝિટ પોલના પરિણામોને લઈને પાર્ટીના પ્રવક્તાએ શું નિવેદન આપે, ટીવી ડિબેટમાં શું લાઈન ચાલશે આ વિષયો પર પણ ચર્ચા થઈ શકે છે. બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ રહે તેવું અનુમાન રાખવામાં આવી રહ્યું છે.
એક્ઝિટ પોલમાં AAPને મળ્યા બહુમત
મતદાન પૂર્ણ થયા બાદ દરેક એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીતની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે આપને 40-60 સીટ મળી શકે છે. જ્યારે ભાજપ આ વખતે સત્તાથી દૂર રહેતી જોવા મળી રહી છે.
એક્ઝિટ પોલના અનુમાનથી દિલ્હીની સત્તા નક્કી
અન્ય એક રિપોર્ટ અનુસાર એક્ઝિટ પોલમાં આપને 50-56 સીટ, ભાજપને 10-14 સીટ મળી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસનું ખાતું નહીં ખૂલે તેવું અનુમાન એક્ઝિટ પોલના આધારે રાખવામાં આવી રહ્યું છે. અન્ય એક રિપોર્ટમાં આપને 48-61, ભાજપને 9-21, કોંગ્રેસ ને 0-1 સીટ મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલના અનુમાનથી ખ્યાલ આવે છે કે દિલ્હીની સત્તા કોના હાથમાં જશે. ચૂંટણી આયોગના અધિકારીએ જણાવ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધી 57.06 ટકા મતદાન થયું હતું. કેટલાક બૂથ પર 6 વાગ્યા બાદ પણ મતદાન થયું હતું. હવે 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરાશે.