દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરવાની સાથે નિવેદનબાજી પણ શરૂ થઇ ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, દિલ્હીમાં મેં સૌ કોઇ માટે કામ કર્યું છે, મેં તમામ માટે મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે.
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરવાની સાથે નિવેદનબાજી શરૂ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી
CM કેજરીવાલે કહ્યું, ભારતના ઇતિહાસમાં પહેલીવાર લોકો કામની તુલના કરશે
મુખ્યમંત્રી કેજરીવાલે બીજેપી પર નિશાન સાધતા કહ્યું, દિલ્હીમાં બીજેપીને પોલીસ, નિગમ અને ડીડીએ (DDA) સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી પાસે જળ બોર્ડ, PWD અને અન્ય વિભાગની જવાબદારી છે. હવે લોકો દેખશે કે, આમ આદમી પાર્ટી અને બીજેપીમાંથી કોણે સારું કામ કર્યું છે. તેઓએ કહ્યું કે, દિલ્હીના લોકો દિલ્હીને MCD બનાવવા ઇચ્છતા નથી.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના લોકો મન બનાવી ચૂક્યા છે. દિલ્હીના લોકો આ વખતે 70માંથી 67નો રેકોર્ડ તોડવા ઇચ્છે છે. દિલ્હી ચૂંટણી માટે જનતા અને પાર્ટી તૈયાર છે, ઉત્સુક છે.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, આ ચૂંટણી દિલ્હી સરકારના કામ પર હશે. વોટ સ્કૂલો, હોસ્પિટલોના નામ પર સકારાત્મક રીતે પડશે. લોકો ખુશીથી વોટ આપશે. ભારતના ઇતિહાસમાં પહેલીવાર લોકો કામની તુલના કરશે.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, લોકોને અપીલ છે કે, જો કામ કર્યું છે તો વોટ આપજો, ના કર્યું હોય તો વોટ ના આપતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, 5 વર્ષ દરમિયાનના કાર્યોને લઇને દિલ્હીમાં સૌના ઘરે જઇશું. સ્કૂલ સારા કરવામાં આવ્યા, જેમા આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ તમામના બાળકો અભ્યાસ કરે છે.
તેઓએ કહ્યું કે, ઘરે-ઘરે જઇને અને ભાજપ વાળાઓ વચ્ચે જઇને કહીશું કે, 70 વર્ષમાં સ્કૂલ ઠીક કર્યા છે, તેને રોકતા નહીં, જો આ રોકાઇ ગયું તો હોસ્પિટલ અને સ્કૂલ ફરી ખરાબ થઇ જશે. આપના બાળકો અને પરિવારના વિકાસ માટે વોટ આપજો, પછી કોઇપણ પાર્ટીમાં રહો, અમે કોંગ્રેસ અને બીજેપીથી પણ વોટ માંગીશું.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, અમારો કાર્યક્રમ પોઝિટિવ હશે, ગાળોની રાજનીતિ નહીં કરીએ. તેઓએ કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહએ રેલીઓમાં મને માત્ર ગાળો આપી, અમે ગાળોથી જવાબ નહીં આપીએ. દિલ્હી માટે અમિત શાહ સારા સૂચન આપે, 5 વર્ષમાં તેને લાગૂ કરીશું.