ભાજપના આ ત્રણ દિગ્ગજ નેતાઓ દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને રણનીતિ બનાવામાં આવી રહી છે. જેને લઇને બધા નેતાઓ રામ મંદિર નિર્માણ, નાગરિકતા સંશોધન કાયદો અને ધારા 370 ને હટાવવા જેવા મુદ્દાઓ ઉઠાવામાં આવી રહ્યાં છે.
આ વખતે વિધાનસભા ચૂંટણી ભાજપ ગત ચૂંટણીની સરખામણીએ નવી રણનીતિ હેઠળ લડી રહ્યું છે. જેમાં સ્થાનિક નેતૃત્વની ભૂમિકા કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નક્કી કરવામાં આવેલી રણનીતિ હેઠળ માત્ર ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક સુધી સીમિત કરી દેવામાં આવી છે. સ્થાનિક નેતાઓને ક્યાં જવાનું છે અને શું બોલાવાનું છે તે અંગેના દિશા-નિર્દેશ પણ પહેલાથી નક્કી કરી દેવામાં આવ્યાં છે.
અમિત શાહ, જેપી નડ્ડા અને જાવડેકરનું સૌથી વધારે ધ્યાન બૂથ મેનેજમેન્ટ પર છે. તેમની રણનીતિ દિલ્હીના બધા 2,689 સાથે જોડાયેલ બૂથ કમિટિએ તે મતદાતાઓના સંપર્કમાં સતત રહેવાનું છે તે જેઓએ લોકસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યાં હતા.
આ ઘટનાક્રમમાં સંઘ (RSS) તરફથી મેદાનમાં ઉતારવામાં આવેલા 40,000 કાર્યકર્તાઓ પણ આ રણનીતિ હેઠળ ઘર-ઘર જઇ લોકોનો સંપર્ક કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજધાની દિલ્હીમાં અંદાજે 56 ટકા મત મળ્યા હતા.
ગત વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ પહેલાથી જ મોરચો સંભાળી લીધો હતો. જો કે આ વખતે પાર્ટીએ રણનીતિ બદલી નાંખતાં અંતિમ સમયમાં મેદાનમાં ઉતારવાની યોજના બનાવી છે. પીએમ મોદીની ત્રણ અથવા 4 રેલી યોજાય તેવી શક્યતા છે. આ સાથે પીએમ મોદીનો રોડ શો યોજવાની પણ સંભાવના છે.