દિલ્હી વિધાનસભાની ચૂંટણી છેલ્લા પડાવમાં છે. ત્યારે તમામ પાર્ટીનાં નેતાઓ એકબાજા પર શાબ્દિક પ્રહારો કરતા રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને નિશાનો બનાવવામાં વાંધાજનક ટિપ્પણી કરી છે. જેના કારણે તે ચર્ચામાં છે. ત્યારે જાણો રાહુલે વડાપ્રધાન સામે કઈ વાંધાજનક ટિપ્પણી કરી છે.
રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં PM મોદી પર કરી વાંધાજનક ટિપ્પણી
રાહુલ ગાંધીએ રોજગાર મામલે PM મોદી પર કર્યા પ્રહાર
PM મોદી 6 મહિના પછી ઘરની બહાર નહી નિકળી શકે
હિન્દુસ્તાનના યુવાનો PM મોદીને મારશે ડંડા
રાહુલ ગાંધીએ દિલ્હીનાં હૌજ કાજીમાં એક ચૂંટણી સભા દરમિયાન PM મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. રોજગાર મામલે PMનરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન રાહુલ પોતાની મર્યાદા ભૂલ્યા હતા. રાહુલે કહ્યું કે, આ જે નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યો છે, 6 મહિના બાદ તે બહાર નહીં નિકળી શકે. ભારતનાં યુવાનો તેને એવા ડંડા મારશે. તેમને સમજાવી દેશે કે ભારતનાં યુવાઓને રોજગાર આપ્યા વિના દેશ આગળ નહીં વધી શકે.
Congress leader Rahul Gandhi: Ye jo Narendra Modi bhashan de raha hai, 6 mahine baad ye ghar se bahar nahi nikal payega. Hindustan ke yuva isko aisa danda marenge, isko samjha denge ki Hindustan ke yuva ko rozgar diye bina ye desh aage nahi badh sakta. #DelhiElectionspic.twitter.com/NXwUeOZ0lA
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમામ લોકો ઈચ્છે છે કે ચીનને કોઈને કોઈ રીચે બેલેન્સ કરાય. ધંધાદારીઓએ પોતાના પૈસા ચીનમાં નાંખ્યાં છે અને ત્યાં વાયરસ આવ્યો છે. ચીનની તમામ ફેક્ટરીઓ બંધ પડી છે. સમગ્ર દુનિયાનાં લોકો પોતાના પૈસા ભારતમાં રોકવા માંગે છે પરંતું દેશમાં વધી રહેલી હિંસા અને નફરતે કારણે રોકાણકારો પાછા પડી રહ્યા છે.
સવારે ઉઠીને જ તે વિચારે છે કે
મટિયા મહિલામાં રેલીને સંબોધતા રાહુલે કહ્યું કે મોદી પોતાનો તમામ સમય હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈને વહેંચવામાં પસાર કરે છે. સવારે ઉઠીને જ તે વિચારે છે કે દેશને કેવી રીતે વેંચી શકાય? આસામ, પંજાબ, મહારાષ્ટ્રા તમામ લોકોને ઝઘડાવ્યા રાખે છે અને દેશભક્ત હોવાનો દાવો કરે છે.