દિલ્હી વિધાનસભા ચુંટણીના મતદાનથી થોડાક કલાકો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 45 સીટ જીતવાનો દાવો કર્યો છે. ભાજપનાં નેતૃત્વમાં દિલ્હીના તમામ 7 સાંસદોને પોત પોતાના વિસ્તારમાં તમામ 6-7 વિધાનસભાની સીટોને સુરક્ષિત કરવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભા ચુંટણીમાં મળેલા જનાદેશ પર વિચાર કર્યા બાદ ભાજપ 45 સીટો પર જીતનો દાવો કરી રહી છે. જાણો આ દાવા પાછળ ભાજપનું શું ગણિત છે.
અમિત શાહ- નડ્ડાએ સાંસદોને જવાબદારી સોંપી છે
મને વિશ્વાસ છે દિલ્લીમાં ભાજપની સરકાર બનશેઃ મનોજ તિવારી
આ ગણિત સાથે ભાજપ જીતનો દાવો કરી રહી છે
સ્થાનીક નેતૃત્વનો પ્રભાવ વધારે જોવા મળશે
70 વિધાનસભાની સીટ ધરાવતી દિલ્હીમાં 7 લોકસભાની સીટો છે. બીજેપીને લોકસભાના તમામ 7 સીટો પર જીત મળી હતી. ભાજપ લોકસભા ચૂંટણીમાં મળેલા જનાદેશને આધારે 45 સીટો પર જીત મળવાનો અંદાજ લગવી રહી છે. જોકે બીજેપીનાં આ દાવામાં સત્યતા કેટલી છે તે તો 11 ફેબ્રુઆરીના ચૂંટણી પરિણામમાં જ ખબર પડશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વ કરતા વધારે સ્થાનીક નેતૃત્વનો પ્રભાવ વધારે જોવા મળશે.
તમામ સાંસદોને જવાબદારી સોંપી હતી
દિલ્હીની તમામ 70 વિધાનસભાની સીટનું આજે વોટિંગ શરુ થઈ ગયુંછે . 11ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરાશે. ભાજપનાં સાંસદોને દિલ્હીમાં પોત પોતાના વિસ્તારમાં વધુમાં વધુ સીટ પર જીતવાની જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના તમામ સાંસદોને જવાબદારી સોંપી હતી અને દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીને બહાર કરવાનું કહેવામાં આવ્યું છે.
પીએમ મોદીના પ્રભાવને કારણે ફાયદો થઈ શકે
ભાજપનું માનવું છે કે વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ લોકસભાની તમામ 7 સીટોને સુરક્ષિત કરી હતી. જેના કારણે જનાદેશના આધારે ભાજપને દિલ્હી વિધાનસભાની 70માંથી 65 સીટો પર જીત મળતી. ભાજપે લોકસભાની ચૂંટણીની જેમ મહત્વના નેતાઓનાં નેતૃત્વ હેઠળ વિધાનસભાની સીટો પર પાર્ટી પોતાનો દબદબો કાયમ રાખી શકે છે. સૂત્રોના જણાવ્યાનુંસાર પીએમ મોદીના પ્રભાવને કારણે ફાયદો થઈ શકે છે.
દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા
ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ અને દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા. પીએમ મોદી પોતે પણ પ્રચારમાં ઉતર્યા હતા. ત્યારે સૂત્રોનું માનવું છે કે દિલ્હી ચૂંટણીની હવા તેમની તરફ થઈ ગઈ છે.
મનોજ તિવારીએ દાવો કર્યો છે કે...
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાનું મતદાન ચાલું થઈ ગયું છે ત્યારે દિલ્હીનાં ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ દાવો કર્યો છે કે મને વિશ્વાસ છે કે દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે. તેમણે 50થી વધારે સીટનો પણ દાવો કર્યો છે. સાથે સાથે મનોજ તિવારીએ શાહીનબાગને લઈને આપ પર પણ નિશાનો સાધ્યો હતો.