દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પ્રાઈવેટ સ્કૂલોને 15 ટકા ફી ઘટાડવાનો આદેશ આપ્યો છે.
કોરોના કાળમાં દિલ્હીમાં રહેતા લોકોને મોટી રાહત
દિલ્હીની કેજરીવાલ સરકારનો આદેશ
પ્રાઈવેટ સ્કૂલોને 15 ટકા ફી ઘટાડવી પડશે
આ ઓર્ડર ગયા વર્ષના શૈક્ષણિક વર્ષ એટલે કે 2020-21 માટે લાગુ પડશે. કેજરીવાલ સરકાર દ્વારા જારી આદેશમાં કહેવાયું કે જો સ્કૂલો વાલીઓ પાસેથી વધારે ફી લેશે તો તે પૈસા પાછા આપી દેવા પડશે અથવા તો આવતા વર્ષે એડજેસ્ટ કરી દેવા પડશે.
કેજરીવાલ સરકારનો આ નિર્ણય વાલીઓ માટે રાહતભર્યો છે. ઉદાહરણ તરીકે જો 2020-21 માં સ્કૂલની એક મહિનાની ફી 3 હજાર રહી તો 15 ટકા કાપ પછી સ્કૂલ વાલીઓ પાસેથી 2550 રુપિયા જ લઈ શકે.
સરકારી આદેશમાં એવું પણ કહેવાયું કે સ્કુલ મેનેજમેન્ટ વાલીઓની આર્થિક તંગને કારણે બાકી રકમની ચુકવણી ન કરવા પર સ્કૂલની કોઈ પણ ગતિવિધિમાં વિદ્યાર્થીઓને ભાગ લેતા ન રોકી શકે. દિલ્હી સરકારનો આ આદેશ 460 ખાનગી શાળાઓ પર લાગુ પડશે.
હાઈકોર્ટે પણ 15 ટકા ફી ઘટાડાનું જણાવ્યું હતું. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગે એક આદેશ જારી કરીને દિલ્હીની ખાનગી સ્કૂલોના વાલીઓ પાસેથી વાર્ષિક વિકાસ શુલ્ક વસૂલવા પર પાબંધી લગાવી દીધી હતી. આ પછી આ મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે પ્રાઈવેટ સ્કૂલોને 2020-21 માં વાર્ષિક અને વિકાસ શુલ્ક વસૂલવાની છૂટ આપી હતી.
જોકે હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે પ્રાઈવેટ સ્કુલોએ ભલે વિકાસ અને વાર્ષિક શુલ્ક વસૂલતી હોય પરંતુ તેમણે ફીમાં 15 ટકાનો ઘટાડો કરશે. હાઈકોર્ટ બાદ કેજરીવાલ સરકારે પણ ખાનગી સ્કૂલોને આ મોટો આદેશ આપી દેતા વાલીઓને મોટી રાહત આપી થઈ છે.