દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અનિલ કુમાર નામનો આરોપી સચિવાલયમાં ધસી આવ્યો હતો અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાંનાં પાવડર વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં કેજરીવાલના ચશ્મા પણ તુટ્યા હતા. કેજરીવાલ પર હુમલો કરનાર શખ્સને ગણતરીના જ સમયમાં પકડી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશની રાજધાનીના મુખ્યમંત્રી પર હુમલાને લઈને તેમની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
તમને જણાવીએ કે કેજરીવાલ ઓફિસમાંથી બહાર નીકળી રહ્યાં હતાં તે દરમિયાન જ તેમની આંખોમાં પાવડર નાખવાનો પ્રયાસ થયો છે. હુમલાખોરનું નામ અનિલ શર્મા છે. જે અનિલ નારાયણા વિસ્તારનો રહેવાસી છે. હાલમાં આરોપીને IP સ્ટેટ સ્ટેશને લઇ જવાયો છે.
હુમલા વખતે ધક્કામુક્કીમાં કેજરીવાલના ચશ્મા પણ તૂટી ગયા છે. તમને જણાવી દઇએ કે કેજરીવાલ પર અગાઉ પણ હુમલા થઈ ચૂક્યા છે. અગાઉ એક વ્યકિતએ તેમને થપ્પડ મારી હતી. જ્યારે આ વખતે મરચાં વડે હુમલો થયો છે. હુમલાખોરોએ સચિવાલયની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે.