દિલ્હીમાં રાણી જ્ઞાંસી રોડ સ્થિત જે ફેક્ટરીમાં આગ લાગી હતી. તેના માલિક રેહાનની પોલીસે ધરપકડ કરી છે. બેગ ફેક્ટરીમાં લાગેલી આગથી 43 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક ગંભીર રૂપે ઘાયલ બતાવાઇ રહ્યા છે. પોલીસે ફેક્ટરી માલિકના ભાઇને પણ કસ્ટડીમાં લીધા છે. સાથે જ ફેક્ટરી માલિકના કેટલાક સંબંધીઓની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
દિલ્હીમાં રાણી જ્ઞાંસી રોડ સ્થિત જે ફેક્ટરીમાં આગ લાગી હતી
ફેક્ટરી માલિક રેહાનની પોલીસે ધરપકડ કરાઇ
બેગ ફેક્ટરીમાં લાગેલી આગથી 43 લોકોના મોત થયા છે
નોંધનીય છે કે, દિલ્હીના રાણી જ્ઞાંસી રોડ બજાર સ્થિત એક ફેક્ટરીમાં રવિવારે સવારે 4:30 વાગ્યે આગ લાગી હતી. આગમાં માર્યા ગયેલા લોકો મજૂર છે. જે સમયે ફેક્ટરીમાં આગ લાગી, તે સમયે ફેક્ટરીનો ગેટ બહારથી બંધ કરી દેવાયો હતો. ફેક્ટરીની અંદર મજુર બહાર આવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનીય લોકોની મદદથી ગેટ તોડીને કેટલાક લોકોને બહાર નીકાળવામાં આવ્યા.
આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બતાવાઇ રહી છે. બિલ્ડિંગમાં કોઇપણ પ્રકારના સુરક્ષાના માપદંડનું ધ્યાન નહોતુ રાખવામાં આવ્યું હતું. બિલ્ડિંગ માલિકે એનઓસી માટે ફાયર બ્રિગેડની ક્લિયરન્સ લીધી નહોતી. સાથે જ એમસીડીને પણ તેની જાણકારી નહોતી.
દિલ્હી અગ્નિકાંડ મામલામાં અત્યાર સુધી બે લોકોની ધરપકડ થઇ છે. બિલ્ડિંગ માલિક રેહાનની સાથે-સાથે જ મેનેજર ફુરકાનની પણ ધરપકડ કરાઇ છે. બિલ્ડિંગ માલિકના ભાઇ શાન અને ઇમરાનની પણ ધરપકડમાં લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે.